ચંદ્રવંશી

(3)
  • 2k
  • 0
  • 724

પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલા ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સામંતે મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગમાં લેવાય અને જ્યાં સુધી તેની જરૂર નથી. ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના ગણ્યા ગાંઠ્યા મહાનશિલ્પકારો એ કરી હતી. તેઓ એકવાર કોઈ રહસ્ય મય ગુફા બનાવીને તે ખજાનાને ત્યાંજ ગુફામાં છુપાવ્યો. તેને મેળવવાના માત્ર બે જ રસ્તા હતા. પેહલું સામંત રાઉભાનનું લોહી અથવા તેના જ વંશનું લોહી મળ્યે જ તે ગુફા અંદર જવાનો રસ્તો મેળવી શકાય.

1

ચંદ્રવંશી - પ્રસ્તાવના

અર્પણમારા માતા-પિતાને....પ્રિય વાચકોને.આભારવાર્તા લખવામાં મદદ કરનાર, વાર્તાની ભાષા શુદ્ધિ કરી આપનાર મિત્રોનો હું હંમેશા આભારી રહીશ.મારી અર્ધાંગિનીનો આભાર કે મને લેખન પ્રત્યે વધુ ધ્યાન દોરવામાં મદદ કરી.મારા માતા-પિતાનો આભાર કે જેમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવાના આશીર્વાદ આપ્યા.મારી બેહનોનો આભાર કે જેમને મને દરેક કામમાં પ્રોત્સાહન આપ્યું.કૉપિરાઇટઆ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે.© યુવરાજસિંહ જાદવઆ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે.આ કૃતી કાલ્પિનક છે. નામો, પાત્રો, સંસ્થાઓ, સ્થાનો, અને ઘટનાઓ કાં ...Read More

2

ચંદ્રવંશી - પ્રકરણ 1

સૂર્યાસ્તનો સમય છે, સુરજ પૂર્વથી પશ્ચિમનો સફર કાપી ચૂક્યો છે. તેના એ સફર દરમિયાન તેને અગીણીત કહાની શરૂ થતી હશે અને અનેક કહાનીઓનો અંત પણ જોયો હશે. તે તેની એક-એક ક્ષણે રોયો હશે અને પલે-પલ હસ્યો પણ હશે. જે તેનું રોજનું કામ હતું. પરંતુ આજે તે જ સૂર્ય નિરાશ થઈને ઢળી પડ્યો હતો અને ચાંદાને પણ આવવાની મનાઈ કરી દીધી હતી. શુ ખબર આજે તેને એકાદ કહાનીનો અતં ના ગમ્યો હોય કે રામ જાણે તેને ચાંદાને ચોખ્ખીના પાડી દીધી હતી..! રાત્રીના લગભગ આઠ વાગ્યે જ ઘણઘોર અંધારું થઈ ગયુ હતું. આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હતું. તે રાતે ...Read More

3

ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૧

બીજે દિવસે સવારે સાડા છ વાગ્યે ઘડિયાળનો એલાર્મ વાગ્યો “ટીટી-ટીટ… ટીટી-ટીટ… ટીટી-ટીટ...” લગભગ એક મિનિટ વાગ્યો. જેથી જીદ જાગી તેને માહીને પણ ઉઠાડી દીધી. માહિ તેની આંખો ચોળતી-ચોળતી તેના ચશ્માં શોધી રહી હતી. તેના ચશ્મા સોફાની પાછળ પડી ગયા હતા. માહિ ચશ્મા લઈને ચડાવે જ છે કે, સામેની દિવાલ પર તેના અંકલના ફોટાઓ જોવે છે. તેને જોયું કે અંકલ જ્યોર્જના બાળપણના ફોટા અને તે જે હાલમાં છે, તેમાં જમીન આસમાનનો ફર્ક હતો. માહીના પપ્પા હંમેશા તેના અંકલના વખાણ કર્તા હતા. આ તે જ અંકલ જ્યોર્જે હતા. એકદમ સ્વીટ છોકરી જેવા અને ધોળા તો એટલા કે અંગ્રેજોને પણ પાછા પાડીદે. ...Read More

4

ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૨

હવે તે બંન્ને શાંતિથી બેસી ગઇ હતી. એ સમયે માહીની નજર જીદના હાથ ઉપર પડી. તેના હાથમાં એ જ પુસ્તક હતી અને તેના પર સફેદ રંગના અક્ષરથી ચંદ્ર્વંશી લખાયેલું હતું. જેને તે સાથે લઈને નીકળી હતી. માહીએ તેના મનમાં આવેલો પેહલો પ્રશ્ન પૂછ્યો :“તારા મમ્મીએ કેમ અચાનક જ તને કોલકત્તા આવવાની અનુમતિ આપી દીધી? મેં અને મારા મમ્મી-પપ્પાએ તને ત્યાં જોબ મળી, ત્યારે તેમને મનાવવા કેટલી બધી રીકવેસ્ટ કરેલી પણ ત્યારે તો તારા મમ્મી ટસના મસના થયા અને હવે આમ અચાનક જ તને કલકત્તા જવાનું કહીં દીધું?”ત્યારે જીદ અચકાતા-અચકાતા કહે છે : “એ તો… ક..ક...કદાચ એમને તારા મમ્મી-પપ્પાનું કહેલું ...Read More