અર્પણ
મારા માતા-પિતાને.
.
.
.
પ્રિય વાચકોને.
આભાર
વાર્તા લખવામાં મદદ કરનાર, વાર્તાની ભાષા શુદ્ધિ કરી આપનાર મિત્રોનો હું હંમેશા આભારી રહીશ.
મારી અર્ધાંગિનીનો આભાર કે જેને મને લેખન પ્રત્યે વધુ ધ્યાન દોરવામાં મદદ કરી.
મારા માતા-પિતાનો આભાર કે જેમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવાના આશીર્વાદ આપ્યા.
મારી બેહનોનો આભાર કે જેમને મને દરેક કામમાં પ્રોત્સાહન આપ્યું.
કૉપિરાઇટ
આ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે.
© યુવરાજસિંહ જાદવ
આ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે.
આ કૃતી કાલ્પિનક છે. નામો, પાત્રો, સંસ્થાઓ, સ્થાનો, અને ઘટનાઓ કાં તો લેખકની કલ્પનાની પેદાશ છે અથવા તો કાલ્પિનક રીતે ઉપયોગમાં લેવાયલ છે.
પ્રસ્તાવના
પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલા ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સામંતે મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગમાં લેવાય અને જ્યાં સુધી તેની જરૂર નથી. ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના ગણ્યા ગાંઠ્યા મહાનશિલ્પકારો એ કરી હતી. તેઓ એકવાર કોઈ રહસ્ય મય ગુફા બનાવીને તે ખજાનાને ત્યાંજ ગુફામાં છુપાવ્યો. તેને મેળવવાના માત્ર બે જ રસ્તા હતા. પેહલું સામંત રાઉભાનનું લોહી અથવા તેના જ વંશનું લોહી મળ્યે જ તે ગુફા અંદર જવાનો રસ્તો મેળવી શકાય.
વર્ષો પછી તે ખજાના માટે પાગલ થયેલાં માણસોમાંથી એક રાક્ષસ બહાર આવ્યો. જે સત્તા અને શક્તિનો લાલચી હતો. તેણે ચંદ્રવંશીઓના રાજ્યનો વિનાશ કર્યો અને તે ખજાનાના અંશમાત્રને મેળવીને અડધી જિંદગી જીવ્યો. મળેલા ખજાનાથી આવેલી સતા અને વૈભવથી તે વિદેશ જઈ વસ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે, તેને મળેલા ખજાનો તો ખૂટી રહ્યોં. તેને મળેલો ખજાનો તો એ અઢળક ખજાનાની સામે કંઈ જ ન હતો. સાચો ખજાનો તો ચંદ્રતાલા મંદિરમાં છે. ત્યાં સુધી લગભગ બે એક દાયકાનો સમય વિતી ગયો હતો. હવે, એજ ખજાનો મેળવવા વર્ષો પેહલા કરેલો વિનાશ ફરી ભારતમાં આવી રહ્યો છે. એ પણ પેહલા કરતા વધુ શક્તિ સાથે. શું ફરી પણ એ ખજાનો એ રાક્ષસને મળશે? ભારતની આઝાદી પછી પણ તે એ ખજાનો ભારતમાંથી લઈ જઈ શકશે કે કોઈ તેને રોકશે? તે જાણવા માટે વાંચો કથા ચંદ્રવંશી.
“અનેક અસત્યોમાં એક સત્ય છુપાયેલું છે.”
લેખક પરિચય
નમસ્કાર મિત્રો! હું યુવરાજસિંહ જાદવ. સુરેન્દ્રનગર જીલ્લાના વસ્તડી ગામનો રેહવાસી. એમ.એ નો અભ્યાસ પૂર્ણ કરી આગળ વધી રહ્યો છું. મારી સર્જનવૃત્તિ કોલેજના અભ્યાસ દરમિયાન બહાર આવી.
જેમાં હું સૌ પ્રથમ પ્રતિલીપનો આભાર માનું છું. કેમકે, આ એ સ્ટેજ છે. જ્યાં મને મારા અંદર રહેલી લેખનકલાને બહાર લાવવાની તક મળી છે. હું પેહલેથી જ લેખન કે વાંચનથી થોડો દૂર રહ્યો છું. એનું એક કારણ મારું સ્વાસ્થ્ય પણ હતું અને બીજું કે, મારી આજુબાજુનું વાતાવરણ પણ. જેમ, પાણી વગર માછલી નથી. તેમ વાંચન વગર જીવન નથી. આ વાતની જાણ મને મારા કોલેજના સમયે થઈ. કોલેજના એ પેલા સેમેસ્ટરની પેહલી પરીક્ષામાં મેં પણ મનથી પેહલીવાર મારા હાથમાં પુસ્તક લીધું. તે પુસ્તક વિષ્ણુશર્માનું હિતોપદેશ હતું. ત્યારે મારી પાસે 3g ફોન હતો, જેમાં મેં બસ એમજ ટાઇમ પાસ માટે પ્રતિલિપિ ડાઉનલોડ કરી હતી. જેની અંદર લોકો લખી પણ શકતા. મને માત્ર આટલી વાતની જાણ હતી. મેં આખી હિતોપદેશ વાંચી અને મનોમન એજ સમયે વિચાર્યું કે, હું પણ આવું કંઇક લખું. જેના પરિણામ સ્વરૂપે મે એક નાનકડી વાર્તા લખી. તેનું નામ “કાગડા અને ઈયળનું યુદ્ધ” જે મારા જીવનની પેહલી વાર્તા છે. મિત્રો એ વાર્તા લખતાં સમયે મને વ્યાકરણનું બિલકુલ જ્ઞાન ન હતું. પરંતુ, એતો સમય અને કર્મને આધારે મારા અંદર એક સાહસની ફૂંક અડી. તે વાર્તાની ભૂલોને મે હજુ સુધી નથી સુધારી. કદાચ કોઈ એવું માને છે કે, જીવનમાં ભાગ્ય મહત્વના નથી. તેમને એકવાર એમ તો થવું જ જોઈએ કે જે વ્યક્તિને વાંચનનો સોખ ન હતો, જેણે વ્યાકરણ નથી આવડતું, જેને કદાચ સપનામાં પણ વિચાર્યું નથી કે, હું કંઈ લખી પણ શકું! તે વ્યક્તિ જો આજે એક પુસ્તક લખી નાખે છે. તો ભાગ્યએજ તેને આ જગ્યાએ લાવીને ઉભો રાખ્યો હશે. તે માનવું જ રહ્યું.
તમારે અને મારે આપણે બધાયે એક વાત તો માનવી જ રહી કે, આપણા બધાયની દોર કુદરત પાસે છે. તેને જ આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને તે જ વિનાશ પણ કરશે. પૃથ્વી પર જન્મનાર દરેક જીવ કોઈ કારણ લઈને આવે છે. જે મકસદ પ્રકૃત્તિ તેની પાસે જ પૂર્ણ કરાવે છે. પછી એ કોઈ મહાન વ્યક્તિ હોય અથવા તો વર્ષો જૂનું વૃક્ષ. પરંતુ તેને એ જગ્યાએ પોહચાવનાર માત્ર ઈશ્વર જ છે. તેથી ક્યારેય કોઈએ ઘમંડ ન કરવો કે, તમે કેટલા આગળ છો અને તમારી સાથે રેહનારા કેટલા પાછળ.
મારી પેહલી નવલકથા ‘ચંદ્રવંશી’ છે અને મને તેને આપની સમક્ષ રાખતા ખુબજ આંદનની અનુભુતિ થઈ.
નવલકથાને પુસ્તક સ્વરૂપે ખરીદવા માટે shopizen app નો ઉપયોગ કરો. તેમાં આ પુસ્તકને ઇ - બુક સ્વરૂપે મૂકવામાં આવી છે. તેના સિવાય તમે એમેઝોનની kidle app પર પણ પુસ્તકને ઇ બુક સ્વરૂપે મેળવી શકો છો. Online ઘણાં માધ્યમો દ્વારા તમે “ચંદ્રવંશી” પુસ્તકને મેળવી શકશો.
આખું પુસ્તક વાંચ્યાબાદ તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. પ્રતિલિપિમાં અથવા મારા gmail id - yuvrajsinhjadav555@gmail.com પર મેસેજ લખી મને જરૂરથી જણાવી શકો છો.