જનેજનમાં જનાર્દન નિહાળવાની વાત છે.
તજી વૈખરી પરાવાણી ઉચ્ચારવાની વાત છે.
મટી જાય સઘળા ભેદભાવ જો દૃષ્ટિ મળે,
પછી જનસેવા પ્રભુસેવા ગણવાની વાત છે.
મારા-તારાના ભેદ હટી જાય સહજ કક્ષામાં,
ભૂલોકમાં જ સાકેત સહજ પામવાની વાત છે.
ના લાગે કોઈ પારકા; બધા જ પોતીકા લાગે,
સંકીર્ણતાના કુંડાળામાંથી નીકળવાની વાત છે.
હરિ પણ હરખશે જો આવી દૃષ્ટિ મળી જાય,
પૂજાપાઠ, સ્તુતિ એ સેવામાં ધારવાની વાત છે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.