અદેખાઈ ની આગ જ્યારે લાગે, ભસ્મીભૂત થઇ જાય વન લીલું; બચે નહીં એક બી વૃક્ષ ઘટાદાર
જંગલની આગ અને અદેખાઈ ની આગ બન્ને હોય ભયાનક ; અદેખું માનવ સ્વીકારતું નથી હાર.
અદેખાઈ ની આગ, એક પૂરો સાગર બી ન બુઝવી શકે; આં આગ ઘડી ભરમાં લઈ લે છે એક ભીષણ આકાર
પળ ભરમાં સળગી જાય છે, રાખ થઇ જાય છે, હસતો રમતો સુખી સંસાર.
અદેખાઈ ની આગ છે આંધળી, કરે નષ્ટ એ પોતાને, પોતાનાને અને પારકાને; જોય ન એ, આર કે પાર
અદેખું માનવ, ખોઈ બેસે વિવેક બુદ્ધિ, ; બીજાને આપે છે પીડા અસહય અને અપાર
અને જો અદેખાઈ ની સાથે મળે વહેમ, તો તો ફના થઈ જાય કોઈ નિર્દોષ નો સંસાર
યાદ રાખવું જોઈએ હર માનવે , હર પળ, નોતરે નહીં એ વિનાશ; હોય એ નર કે નાર.
નહીં તો આં આગ નોતરે છે સત્યાનાશ, મચાવે છે જીવનમાં હાહાકાર
Armin Dutia Motashaw