The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જેમના પગલાં પવિત્ર ગણાય તે રામ અને કૃષ્ણ.એનાં ચરણ ચૂમી લેવાનું મન થાય તેવાં તેમનાં કર્મ હતાં.એટલે આપણે એને ભગવાન સમજીએ છીએ.પરંતુ આપણને ઘણી બધી બાબતોમાં સલાહ,શિખાપણ,સહકાર,સધીયારો આપે તે પણ ભગવાનનો મોકલેલો માણસ હોય છે. - वात्सल्य
દૂર બેઠું તડપાવે છે.એ ફૂલ ખીલતું છે,પણ મળતું નથી. શું કરું એટલું દૂર છે કે સુંઘવાનું મન છતાં સુંઘાતું નથી.-🌹 વાત્સલ્ય 🌹
Life should be lived in such a way that we feel like coming to embrace God. It is our demand that we go to meet God. It is an emotional feeling that God comes here. 🌹🌹🌹🙏🏿🌹🌹🌹 જીવન એવું જીવવું જોઈએ કે ભગવાનને ભેટવા આવવાનું મન થાય.આપણે ભગવાનને મળવા જઈએ તે તો આપણી માગણી છે.અહીં ભગવાન આવે તે તો ભાવનાત્મક લાગણી છે. - વાત્સલ્ય
Where do I have a grudge against you! I have a grudge against your shortcomings. - वात्सल्य
એક તો સુંદરવદના હતાં તમે!શણગાર સજવામાંય કંઈજ બાકી ના રાખ્યું ! શું ખામી કાઢું ખામી?જ્યાં સુંદરતામાં ભગવાને કંઈ જ બાકી ના રાખ્યું. . - વાત્સલ્ય
મેં તો મતદાન કરી દીધું અને મનમાં ચૂંટી લીધાં! જોઈએ હવે તમારા તરફથી શું હાર કે જીત છે!!! - वात्सल्य
ભારત દેશની આ મહિલા છ વાર સાંસદ અને હાલ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી હોવાં છતાં કોઇ સેલરી કે પેન્શન લેતા નથી. નોંધવા જેવી બાબત એ છે કે એમની કુલ સંપત્તિ ૧૫ લાખ જેટલી હશે.સાદાઈ અને કરકસર સાથે સંઘર્ષ એમનો જીવન મંત્ર છે.સાદી અને સ્વચ્છ સાડી પરિધાન કરી આ મહિલા પશ્ચિમ બંગાળની બ્રાન્ડ ગણાય છે. આશ્ચર્ય એ વાતનું થાય છે કે ઘણા ઓછા રાજકારણી છે જે પોતાના હિસ્સામાં આવતી સેલેરી પણ નથી લેતા તેમાં આ મહિલા એક પાઈ પણ નથી લેતી.જે કંઈ પોતાનો ખર્ચ છે તે તેનાં પુસ્તક વેચાણમાંથી મળતો હિસ્સો લેં છે અને પોતાનું સાદું જીવન એ આવકમાંથી ગુજારે છે.પશ્ચિમ બંગાળ સાંભળવા મળે ત્યાં એક નામનું સ્મરણ થયા વગર ના રહે.અને તે એટલે "મમતા બેનર્જી *જેમને 'દીદી' તરીકે પણ ઓળખવામાં આવે છે) પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી ) ના સ્થાપક છે.તેમના જન્મ અને સમાજકાર્ય/રાજકીય સફરની વિગતો નીચે મુજબ છે: મમતા બેનર્જીનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૫ ના રોજ કોલકાતા,પશ્ચિમ બંગાળમાં એક મધ્યમ વર્ગના બંગાળી હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી ઇસ્લામિક ઇતિહાસમાં માસ્ટર ઓફ આર્ટસ (એમ એ ) ની ડિગ્રી મેળવી છે.અને કલકત્તાના જોગેશ ચંદ્ર ચૌધરી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી (એલ એલ બી ) પણ મેળવી છે મમતા બેનર્જીએ ખૂબ જ નાની ઉંમરે,૧૯૭૦ ના દાયકામાં કોંગ્રેસ પાર્ટી સાથે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. રાજકીય શરૂઆત: ૧૯૭૬ થી ૧૯૮૦ સુધી તેઓ મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરી રહ્યા હતા.સૌથી યુવા સાંસદ:૧૯૬૪ માં તેમણે જાદવપુર લોકસભા બેઠક પરથી સીપીએમ (સીપીએમ ) ના દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની ઓળખ બનાવી હતી અને દેશની સૌથી યુવા સાંસદ બની હતી. કેન્દ્રીય મંત્રી:તેમણે રેલ્વે મંત્રી,કોલસા મંત્રી,અને માનવ સંસાધન વિકાસ મંત્રી જેવા મહત્વના વિભાગો કેન્દ્ર સરકારમાં સંભાળ્યા છે.તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના:૧૯૯૮ માં,કોંગ્રેસથી અલગ થઈને તેમણે 'ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ' (આ આઇ ટી આઈ ) ની સ્થાપના કરી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી:૨૦૧૧ માં,તેમણે પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષ જૂના ડાબેરી (લેફ્ટ ) શાસનનો અંત લાવીને રાજ્યની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં.પશ્ચિમ બંગાળમાં અનેક લોકકલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે,જેમ કે 'કન્યાશ્રી',સ્વાસ્થ્ય સાથી' વગેરે.તેઓ ૨૦૧૧ થી સતત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ પર છે.તેમનું જીવન એક સંઘર્ષશીલ નેતા તરીકેનું રહ્યું છે,જે સામાન્ય લોકો સાથે જોડાયેલા રહેવા માટે જાણીતા છે.મમતા બેનરજી નંદીગ્રામ મતવિસ્તારના પરિણામને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યો અને આ મામલો ન્યાયાધીન છે.
તું ખૂબ સૂરત છે,છતાં લોકો ઘનશ્યામ કહે છે. તું રાધા રાણીનો ભરથાર છતાં આઠ પટરાણી છે. તું જન્મ્યો મથરા,ગોકુળ તારુ ગમતું ગામડું છે. વૃંદાવન રાસ રચ્યો,દ્વારિકા ભર્યો દરબાર છે. એ કહે શેઠ શામળિયા:ડાકોર કેમ છુપાયો છે? દક્ષિણમાં જગન્નાથ કહેવાણો શ્રીનાથમાં શ્રીનાથ!! હરિદ્વારમાં હરિ કહેવાણો,રણુજે રામાપીર!! હસ્તિનાપુરની રાજાશાહી ના ભોગવી,કુરુક્ષેત્રે બન્યો સારથી.! આવો રંગીલો રસભીનો મારો રણછોડ કહેવાણો. પંઢરપુરમાં પાંડુરંગ કહેવાયો,જૂનાગઢે શેઠ શામળદાસ ગવાણો. - વાત્સલ્ય
મારા વગર મારાં ઝાડવાં રૂએ,હુ એને ક્યારે જઈ મળું? મારા વગર મારાં ઝાડવાં રૂએ,હું એને ક્યારે જઈ મળું? (૨) (ટેક) જઈને એને છાનું રાખું,જઈ એને છાનું રાખું!! ગૉડ કરું એને પાણી પાઉં,ક્યારે નીંદણ કાઢું રે !! મારા... પવન વાગ્યો,એ આડું પડ્યું,એને ટેકો આપું!! ઘસરકો કોઈ કરી જાય ડાળીએ પાટો બાંધું રે!! મારા... રોગ-જીવાત લાગે જ્યાં,લાગે તડકો આકરો ! વીણી લઉં જીવાત સાથે આછો છાંયો કરું રે! મારા... ક્યારો કરું,કચરો લાવું સાથે અળસીયાં લાવું !! ગાયનો પોલ્લો રસ્તે જોઉં તો ઉપાડી લાવું રે ! મારા... કાળી ચકલી લાવું,કોશી,પેલું બુલબુલ બોલાવું!! લાકડાનો ઊંચો ટેકો બાંધું,માળો મુકું,પંખી બેસે રે!! મારા... પાઇપ લાવું,ટપક મૂકાવુ,મોટર સોલાર મુકાવું!! કેમ કરી રોપો બચાવું,મોટું થયે મીઠાં ફળ ખાઉં રે!! મારા... - વાત્સલ્ય
તને યાદ કરું છું.. એજ કે બંધ આંખે નીરખુ ત્યાં તું મારી સાથે છે:અને આંખો ખુલે તો સપનું એમ આખો દિવસ તારા માટે ઝૂરું છું. - वात्सल्य
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser