ભગવાની આળમાં જો દુષ્કર્મ કરશો તો,
ભગવાન તમને ભૂતળમાંથી પણ ગોતી લેશે.
પરસ્ત્રીગમન કરશો,અણહકનું દ્રવ્ય લેશો તો,
સંતાનો ને જીવનઉપયોગી સમજણ કોણ દેશે.
વૃદ્ધ માં બાપ ને ઘરડાઘરમાં મોકલશો તો,
ઈશ્વર તમારૂં જીવન કસ્ટમય બનાવી દેશે.
અર્ધાંગનાની આજ્ઞા પાળી માતા -પિતાને કટુવચન,
કહેશો તો ઈશ્વર તમારા પરથી અમીદ્રષ્ટિ હટાવી લેશે.
સંતાનો ધર્મના શિક્ષણ થી જો વંચિત રહેશે તો,
તમારા સમગ્ર કુળનું સર્વનાશ જાતે વહોરી લેશે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "