મઝધારનેય ક્યારેક કિનારો મળશે.
ઝંઝાવાતમાંય કોઈ સહારો મળશે.
ઉરઅગન તો રત્નાકરને પણ છે જ,
વડવાનલનો ક્વચિત ઈશારો મળશે.
ચારેકોર અબ્ધિજળ વચ્ચે જીવવું,
સબૂરી રાખો મારો કહેનારો મળશે.
ક્યાંક જળચર પણ ઉત્પાત મચાવે,
ઉગરવાના સવેળાએ વિચારો મળશે.
હશે કોઈને તમારી પણ પ્રતિક્ષાને,
જઈ જુઓ ત્યાં આવકારો મળશે..
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.