Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(15.6k)

કાંચના સબંધો મારે નથી જોઈતા જે ઠોકર લાગે તૂટી જાય મારે શુદ્ધ સુવર્ણના સબંધો જોઈએ 108 વાર બળ્યે રાખ થાય
"આર્ય"

Read More

અમુક પ્રશ્નો ના જવાબ જોઈએ છે.
(1)પુરી અડધી હોય છતાંય એને પુરી કેમ કહેવાય?
(2) ગોળનો ગાગળો ચોરસ હોય તો પણ તેને ગોળ કેમ કહેવાય.
(3) તપેલી ઠંડી હોય છતાં પણ એને તપેલી કેમ કહેવાય.
(4) પૈસા ઝાડ પર નથી ઉગતા તો બેંક ને શાખાઓ (ડાળીઓ) કેમ હોય છે.
(5) નમક સ્વાદ માં તો મીઠું નથી હોતું તો મીઠું કેમ કહેવાય.
મારા દૂરના ભાઈએ ઘણા વર્ષો પહેલા એક સાયરી મોકલાવી હતી ત્યારે. નોકિયા 1200 હતો. એમાં સાયરી અને જોક્સ શિવાય કઈ ના આવતું. સાયરી હતી.
ખૂબસૂરત તુમ હો તો બુરે હમ ભી નહીં
મહેલો મે તુમ હો તો સડકો પે હમ ભી નહીં.
મેં જવાબ માં મોકલ્યું
અકલમંદ તુમ હો તો બેવકૂફ હમ ભી નહીં "
✍🏼"આર્ય "

Read More

કામના બદલે પ્રેમ મળતો હોત તો
વેશ્યાઓ ના હજારો આશિકો હોત "આર્ય "
- સુરજબા ચૌહાણ આર્ય

સાપને તમે અમૃત પાઈને મોટો કરો તોય ઝેર ઓકવાનું ના ભૂલે એમ અમુક લોકોનું પણ આવુ જ છે. એટલે વહેવાર રાખવાનું પણ ત્રાજવે માપવાનું.સામેવાળું આપણું રાખે એટલુજ રાખવાનું.અગરબત્તી જેવાં મૂર્ખ નહીં થવાનું કારણ કે અગરબત્તી ને એ નથી ખબર હોતી કે મચ્છર માટે બળવાનું છે કે ભગવાન માટે સળગવાનું છે. જીંદગીમાં પાત્રતા જોવી જરૂરી છે કારણકે દીવાસળીને એ ખબર નથી હોતી કે મારું ઉપયોગ દિવો પ્રગટવવામાં થવાનું છે કે ગામ સળગાવવામાં
મિત્રતા કરો તો સજ્જન ની કરજો નહીં તો પેઢીઓ ના સંસ્કાર જાતા વાર નહીં લાગે. મિત્રો લાગણીઓ ના ઘોડાને લગામ માં રાખજો નહીં તો વાંક કામ નો હશે અને બદનામ પવિત્ર પ્રેમ ને થવું પડશે. ગધેડાને સંસ્કૃતના સ્લોક ભણાવો તોય ભૂકવાનું ના મૂકે લખણખોટા ને લાડકા રાખો તોય ખાય એ થાળીમાં થુંકવાનું ના ચુકે.માટે સતર્ક રહો સુરક્ષિત રહો 🙏🏼જય સીયારામ 🙏🏼✍🏼"આર્ય "

Read More

આજે મારો જન્મદિવસ છે.
1/11/1991.
સુપ્રભાત 🙏🏼જય સીયારામ 🙏🏼

સુપ્રભાત 🙏🏼જય સીયારામ