Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(34)

સંસારિક દ્રષ્ટિએ ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં પાર્થને ગીતા નું જ્ઞાન આપ્યું.
અને આધ્યાત્મિક દ્રષ્ટિએ કૃષ્ણ એટલે આપણો આત્મા પાર્થ એટલે આપણુ મન સો કૌરવો એટલે આપણા નકારાત્મક વિચારો અને કુરુક્ષેત્ર નું મેદાન એટલે આપણું મગજ. તો આત્મા એ મનને જ્ઞાન આપ્યું છે. સોક કૌરવો એટલે આપણા મગજના નકારાત્મક વિચારોને માર્યા છે .
લી. "આર્ય "

Read More

મિત્રો જ્યારે હું મહારાણા પ્રતાપ, શિવાજી, સ્વામી વિવેકાનંદ ને યાદ કરૂ ત્યારે મને ઇન્સાન હોવા પર ગર્વ થાય પણ જયારે ભગવાન રામે રિછ અને વાનરો પાસે રામસેતુ બનાવડાવ્યો એ વાત યાદ આવે ત્યારે ઇન્સાન હોવા માટે દુખ થાય કે ભગવાન ને ઇન્સાન પર ભરોસો નહીં હોય ત્યારે ભગવાન રામે રીછ અને વાનર સેના પાસે સેતુ બનાવડાવ્યો આમાં સંસાર ની દ્રષ્ટિએ મને એવુ લાગે પણ પછી આધ્યાત્મિક દર્ષ્ટિ એ જોઈએ તો વાનર એ ચંચળ મને નું પ્રતીક છે અને રીછ બળનું પ્રતીક છે. અને રામે જે સેતુ બાંધ્યો એ એકદેશ ને બીજા દેશ સાથે જોડવા માટે નહીં પણ જીવ ને શિવ સાથે જોડવા માટે બાંધ્યો. અને એમાં ખિસકોલી એ મદદ કરતી હતી. તો આ ખિસકોલી એટલે આપણી બુદ્ધિ. વાનર( મન ) રીછ ( આપણી શક્તિ ) ખિસકોલી ( બુદ્ધિ ) ભગવાન ને ખિસકોલી પર ત્રણ લીટા પાડ્યા એટલે એ લીટા ભૂતકાળ, ભવિષ્ય કાળ અને વર્તમાન કાળ. એનો મતલબ એ છે કે બુદ્ધિ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ માં જો સ્થિર ચાલે તો જીવ શિવ માં ભળે. ભગવાન ના હાથે મૃત્યુ થવાનું હતું એટલે રાવણ નો મોક્ષ નકી હતો.
લી. "આર્ય "

Read More

રાવણ, મંથરા, સુપર્ણાખા,શકુની અને દુર્યોધન હતા એવા વહેમમાં ના રહેતા પહેલા એક ઘરે હતા આજ ઘરે ઘર છે.
લી. "આર્ય "

Read More

પહેલા વિચાર આવતો કે શિવને સ્મશાનમાં કેમ ગમતું હશે
પછી ખબર પડી કે જે જીવતે હિસાબમાં ગોટાળા કરે છે ને એનો હિસાબ કરવા બેઠો છે.
લી. "આર્ય "

Read More

તારી યાદોના સહારે હું કવિ બની
ગઈ તું આજીવન સાથે હોત તો હું
ભગવાન બની જાત
" આર્ય"

" જીવ " છે એજ "શિવ " છે.
કારણ આપણું શરીર પ્રકૃતિએ આપ્યું છે અને જે આપણો જીવ છે એ ભગવાન નો અંશ છે. માટે હું ખાઉ છું, હું સુઉં છું, હું ઉઠું છું, પીઉં છું, હું એ મિથ્યા અભિમાન છે. તમે શરીર અને આત્મા ને અલગ કરીને જુઓ તો શરીર પ્રકૃતિએ ભાળે આપ્યું છે અને જે જીવ છે એ શિવનો અંશ છે તો એમાં તમે ક્યાં છો
ઈશ્વર દેખાતો નથી તો જીવ પણ દેખાતો નથી. જીવ. વાળની અણીના દસ હજાર માં ભાગ જેટલો છે છતાં આખા શરીર ને ચલાવે છે. પ્રકૃતિ એ જડ છે એમાં ચેતન શિવ લાવે, ઘણા સમય પહેલા મેં ક્યાંક વાચ્યું હતું, કે સૌથી પહેલા પ્રેમ લગ્ન શિવ પાર્વતી ના હતા. તો મિત્રો શિવ શક્તિ એક છે. એના રૂપ અલગ અલગ છે. અર્ધનારીશ્વર રૂપ જે ભગવાન ને લીધું. એને પ્રેમ લગ્ન ના કહી શકાય. શિવ અદિકાળ થી શક્તિ ના જ છે અને શક્તિ શિવ ની. આ ભ્રહ્માંડ ના અધિપતી ની વાત છે આ કોઈ સામાન્ય માનવી ની વાત નથી કે પ્રેમ લગ્ન કહી શકાય.
ભરત ના નામ પરથી ભારત નામ પડ્યું તો અમુક બુદ્ધિ જીવીઓ કહે એ ભરત love ચાઈલ્ડ હતું તો મારા રામ એ વખતે ગાંધર્વ વિવાહ નું ચલણ હતું. એ ભરત કોઈ લગ્ન પેહલાનું બાળક નહોતું એ લગ્ન પછીનું જ બાળક હતું. સૂર્યની હાજરી માં ગાંધર્વ વિવાહ થતા એ સમય માં.

લી. "આર્ય "

Read More

સુપ્રભાત જય સીયારામ 🙏🏼

epost thumb

આજે મારા દિકરા અધ્યયનસિંહ ચૌહાણ નો જન્મદિવસ છે તો એમને જન્મદિવસની શુભકામના, ધર્મો રક્ષતિ રક્ષિત:
માં આશાપુરા સદા સહાયતે 🙏🏼

Read More
epost thumb