Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(34)

ઉભી કટક જગાવે
બેઠી વસાવે ગામ
સૂતી સરોવર જગાવે
જાગતી કરે સ્મશાન
મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે
ભૂમિ સૂતી હોય ત્યારેે કૂવો ખોદી શકાય
બેઠી હોય ત્યારે મકાન નું મુહર્ત કરી શકાય
જ્યારે ભૂમિ ઉભી કે જાગતી હોય ત્યારે
કોઈ મુહર્ત આપવામાં આવતા નથી.
લી. "આર્ય "

Read More

ડોક્ટર કહે છે હાર્ટ એટેક ના કેસ બહુ વધી રહ્યા છે સીપીઆર બધાને શીખડાવો તો ઈમાનદારી મરી પરવારી છે પહેલા એને જીવતી કરો.
લી. "આર્ય "

Read More

પત્ની માં -બાપને હેરાન કરે તો કોર્ટમાં કેસ
કેમ દાખલ કરવો એ બધા શીખવાડે છે.

માતા-પિતા પત્નીને પરેશાન કરે તો આંખ
આડા કાન કેમ કરવા એ તો આવડે જ છે.

જીવનમાં આગળ કેમ વધવુ એ શીખવુ પડે છે કોઈનો
પગ ખેંચીને પાડવો કેમ એ તો બધાને આવડે જ છે.

તંદુરસ્તી કેમ સાચવવી એ શીખવું પડે છે
બીમાર તો આપોઆપ થઈ જવાય છે.

હસવા માટે જોક્સ સાંભળવા પડે છે
રડવું તો આપોઆપ આવી જાય છે.

પ્રેમ નિભાવવા માટે મહેનત કરવી પડે છે કામ
તો રસ્તા પર બાળકો મૂકીને ચાલ્યો જાય છે.

વિશ્વાસ એટલે વિશ ભરેલી બોટલ જો
તૂટી તો તમારો સબંધ ત્યાં જ મરી જાય છે.

લી. "આર્ય "

Read More

વાચક મિત્રો દીકરીને બાપ બહુ વહાલો હોય કારણ કે એ દીકરીને ઉડવા માટે પાંખો(આસમાન )આપે છે દીકરીને માં પિતા એટલી કદાચ ના ગમે કારણ કે એ તેને ચાલવા માટે પગ (જમીન )આપે છે.

આસમાન તો પિયરમાં જ હોય છે સાસરામાં તો ફક્ત જમીન હોય છે તો પાંખો ફક્ત પિતાના ઘરે જ કામ આવશે જો તમે પગ પર ચાલતા શીખશો તો એ તમને સાસરામાં પણ કામ આવશે માટે માં એને ચાલવા માટે પગ આપે છે ઘણી દીકરીઓને આ નથી ગમતું .
માતા રોકટોક કરે કોઈ કામ શીખવાડે એટલે દીકરીને એમ થાય મારા પર હુકમ ચલાવે છે મારાથી મોટા છે એટલે મારી દીકરીને પણ એવું લાગે છે કે મારી માં મારા પર રોકટોક કરે છે કામ કરવાનું કહે છે અને મને પણ એવું લાગતું . હું જ્યારે નાની હતી ત્યારે પપ્પા કંઈ પણ કામ કહેતા તરત કરી નાખતી . મમ્મી કહેતી તો ના કરતી. બહુ ટાઈમ પછી કરતી.

કારણ કે એ ઉંમરમાં આપણને ગુસ્સા પાછળ નો પ્રેમ અને પ્રેમ પાછળનું કામ દેખાતું નથી એ તો જ્યારે કોઈ આપણું વિશ્વાસ તોડે કે આપણી આંખમાં ધૂળ નાખે ત્યારે દેખાતું થાય.
પિતાને એમ હોય કે જે સુખ સગવડ દીકરીને સાસરામાં નથી મળવાની એ હું અહીંયા પિયરમાં જ આપી દઉં અને માતાને એમ હોય કે જે તકલીફ માંથી હું પસાર થવું છું મારી દીકરીને એનાથી બચાવી શકુ એટલે એને આગળથી જ તૈયાર કરે મુસીબતો થી સમસ્યાઓથી લડવા માટે
"માતાના ગુસ્સામાં અમૃત છે પણ આપણને ઝેર લાગે છે
ગુસ્સા પાછળ નો પ્રેમ અને પ્રેમ પાછળનું કામ સમજમાં ઇન્સાન ને બહુ વાર લાગે છે અને ના સમજાય એટલે જિંદગી વેર વિખેર લાગે છે.

મિત્રો પાંખો છે ને એ દીકરીને ફક્ત પિયરમાં કામ આવશે કારણ કે સાસરામાં આસમાન નથી ફક્ત જમીન છે અને જમીન પર ચાલવા માટે પગ જોઈએ મારું અંગત માનવું એવું છે કે દીકરીને જે રીતે એક ફોજીને લડવા માટે તૈયાર કરે એ રીતે તૈયાર કરવી જોઈએ કે સાસરામાં જઈને બધાની સાથે સારી રીતે રહી શકે અને અન્યાય ની સામે લડી પણ શકે

જો સમાજનો પાયો સુધારવો હોય તો સ્ત્રી પગભર હોવી જોઈએ સમાજે સ્ત્રી સાથે અન્યાય તો કર્યો જ છે સમજો કે કોઈ પુરુષ 50000 રૂપિયા તેની પત્નીને આપે તો પત્ની નહીં પૂછે તે ક્યાં ક્યાંથી આવ્યા પણ જો સ્ત્રી 10 હજાર રૂપિયા પતિને બતાવે કે મારી પાસે છે તો પછી તરત પ્રશ્ન કરશે કે આ તારી પાસે ક્યાંથી આવ્યા ? તારા ભાઈ પાસે સગવડ નથી કે તને આપે તારા પિતા ગરીબ છે તો આ ક્યાંથી આવ્યા અને આજે ક્યાંથી આવ્યા એ પ્રશ્ન પાછળ જે પુરુષના મનમાં શંકા હોય તે મારે અહીંયા લખવી નથી સમજદાર લોકો સમજી જશે.
પુરુષોની એક ખરાબ આદત હોય છે બધાની હોય છે એવું મારું માનવું નથી અમુક લોકોની તો હોય જ છે કે પોતાની બેન દીકરીને પ્રેમની નજરે જુએ અને બીજાની બેન દીકરીને કામની નજરે જુએ તો આટલો નજરમાં ભેદભાવ શા માટે?
બહેનોની પણ એક ખરાબ આદત હોય છે કે કોઈ સ્ત્રી પગભર થાય આગળ વધે એટલે બહેનો જ વાતો ફેલાવવા માંડે આવું ન કરવું જોઈએ જો સ્ત્રીને પગ પર થતા આગળ વધતા તમારે જોવી હોય તો.
લી. "આર્ય "

Read More

"એકાંત મૂર્ખ માટે નર્ક છે પણ જ્ઞાની માટે સ્વર્ગ છે "

આંખો બંધ કરીને વિશ્વાસ ફક્ત માના પેટમાં જ કરી શકાય છે ધરતી પર જન્મ્યા પછી તો લોકો તમારી આંખોમાં ધૂળ નાખીને તમારી આંખો ખોલશે.
લી. "આર્ય "

Read More

સ્વર્ગ સુધી પહોંચવું
સહેલું છે"આર્ય "સ્ત્રીના
હ્દય સુધી પહોંચવું
અઘરું છે

ભીતરમાં બદલાવ લાવ્યા
વગર ભવ ના સુધરે " આર્ય "

શું વ્રત રહેવાથી ભગવાન ધરતી ઉપર ઉતરી આવે તો ના.
શું તમારી સામે બેસીને વાર્તાલાપ કરશે તો ના.
તો વ્રત શા માટે રહેવું જોઈએ તમારા ભલા માટે કે
ભગવાન ના ભલા માટે........


તો વ્રત રહેવાથી આપણા શરીરમાં આકાશ તત્વ જે છે એ બેલેન્સ થાય નવ ગ્રહોમાંથી જે પ્રકાશ આપણા શરીરમાં આવે છે એમાંથી રાહુ કેતુ છાયા ગ્રહ છે એટલે સોમ ( ચંદ્ર ),મંગળ બુધ,ગુરુ,શુક્ર,શનિ અને રવિ( સૂર્ય ) આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે અગ્નિ,વાયુ,આકાશ, પૃથ્વી અને જળ
આકાશ તત્વ એટલે ગ્રહોનું પ્રકાશ આપણા શરીરમાં સાત ગ્રહોનો જે પ્રકાશ આવે છે એ આપણા શરીરમાં રહેલા સાત ચક્રો જે છે એને પ્રભાવિત કરે છે. દાખલા તરીકે તમે દરરોજ ચાર વખત ખાવ છો તો તમારા શરીરની વધારે ઉર્જા તો ખાવાની હજમ કરવામાં જ વપરાઈ જાય છે તો તમે એક દિવસ નહીં ખાઓ તો તમારા શરીરની એ ઊર્જા છે એની બચત થશે તમે જે પણ વાર રહેશો એ ગ્રહનો પ્રકાશ તમારું શરીર સારી રીતે ગ્રહણ કરી શકશે એટલે આકાશ તત્વ જે છે એ મજબૂત થશે એટલે જ્યોતિષશાસ્ત્રમાં પણ જે ગ્રહ નબળો હોય તમારું એ વાર રહેવાનું કહેવામાં આવે છે. બીજું કે તમારા પાચનતંત્રને આરામ મળશે એટલે તમારા શરીર અંદર તમને કોઈ રોગ હોય તો એને નષ્ટ કરવામાં તમારું શરીર ગુડ બેક્ટેરિયાનું નિર્માણ કરી શકશે એની સામે લડવા માટે શક્તિ ઉત્પ્ન્ન કરી શકશે. અઠવાડિયામાં એક દિવસ ન ખાવો તો એનાથી શરીરને બહુ જ ફાયદો થાય છે, તમારું પાચનતંત્ર સુધરશે. સ્વાદઇન્દ્રિયોની ક્ષમતા વધશે . તંદુરસ્તી વધશે. પણ જો તમને વ્રત રહેતા આવડતું હોય તો હવે અત્યારના લોકો શું કરે છે વ્રત તો રાખે છે ફ્લાહાર ( ફળનું સેવન કરવું ) અત્યારે લોકોએ ફલ+ આહાર નું ફરાળ કરી નાખ્યું અત્યારે લોકો વ્રત રહે તો બટેકાની ચિપ્સ ખાય, ચેવડો ખાય, સાબુદાણાની ટીકી બનાવીને ખાય, ફરાળી પાણીપુરી ખાય, રાજગરાનો શીરો ખાય, હવે તમે જ વિચારો આને વ્રત રાખ્યું કહેવાય આને ખાધું નહીં ખાતર પાડ્યું કહેવાય. હું પણ મંગળવાર રહું છું બપોરે સાદુ ભોજન લઉં છું અને રાત્રે એક ગ્લાસ દૂધ લઉં છું. કારણ કે ખાલી પેટે નિંદર ના આવે. આખો દિવસ ખાઈને રહીએ તો આપણે વ્રત આપણી તંદુરસ્તી અને માનસિક શાંતિમાટે રહીયે છીએ આખો દિવસ બહારનું ખાઈને વ્રત રાખો એનો કોઈ મતલબ નથી થતો . ના તો એનાથી માનસિક શાંતિ મળે છે કે ના એનાથી કોઈ તંદુરસ્તી મળે છે અને બહારથી જે વેફર્સ આવે છે એમાં ગાય અને સુવરની ચરબીનો ફુવારા મારેલા આવે છે. હવે તમે વ્રત રહીને ગાય અને સુવરની ચરબી ખાવ તો વ્રત રહેવાનો કોઈ મતલબ નથી થતો.
માટે જો વ્રત રાખો તો ફળ આહાર કરો અથવા દૂધ પીવો.
અન્ન એવુ મન અને પાણી એવી વાણી.
લી. "આર્ય "

Read More