જરૂરી જ છે કે મનનો જ જવાબ મળે ? ધાર્યું વર્તન જ મળે ?
હા... ઘણીબધી વાર આપણે એવું ઈચ્છીએ છીએ કે આપના પોતાના આપણો ધાર્યો જવાબ આપે. કારણ, ગમે છે એવું સંભાળવું એવો વ્યવહાર થાય એવું. કારણ કે આ જ તો પ્રેમ છે. આ જ તો લાગણી છે. આ જ તો એકમેકની કાળજી છે. 💟
તોય... અમુક માણસો... અરે અમુક એટલે મારા જેવા માણસો આવું સમજે જ નઈ. પોતાનું ધાર્યું જ કરે. હમેશા એવો જ વ્યવહાર કરે જાણે એને કોઈની પડી નથી. શું થાય એવુંજ થશે. કારણ, આ જ તો સ્વભાવ છે. 😜
માણસનું આચરણ, માણસનો સ્વભાવ બે જ સંજોગોમાં બદલાઈ શકે. એ ના રહે અથવા એની સામેનું પાત્ર ના રહે. એટલે મને લાગે આવા વ્યર્થ પ્રયત્નો છોડી વ્યક્તિએ નક્કી કરવું જોઈએ કે ખરેખર આવા બેકાર વ્યક્તિની જિંદગીમાં જરૂરિયાત છે કે નઈ. જે જવાબ મળે એ મુજબ નિર્ણય લઈ આગળ વધી જવું જોઈએ. ☺️
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...