Quotes by Gautam Patel in Bitesapp read free

Gautam Patel

Gautam Patel

@gautam0218


‘એમ્ડેન’ને ત્યાર પછી જર્મન નૌકાદળના સેનાપિત એડમિરલ વૉન ગ્રાફ સ્પીનો સાંકેતિક મેસેજ પ્રાપ્ત થયો, જે મુજબ તેને બે અગત્યનાં મિશન સોંપવામાં આવ્યાં. (૧)
ભારતથી મશીનગનો, રિવૉલ્વરો, એન્ફિલ્ડ
રાયફલો તથા હેન્ડ ગ્રેનેડનો મોટો જથ્થો
યુરોપ મોકલવામાં આવી રહ્યો છે.
કલકત્તાથી આવા પુરવઠા સાથે રવાના થતાં
જહાજોને નિશાન બનાવો; (૨) દિલ્હીની
બ્રિટીશ હકૂમત પર દબાણ લાવવા
આંદામાનની સેલ્યુલર જેલ પર હુમલો કરો,
ભારતના ક્રાંતિકારોને છોડાવો, બધાને શસ્ત્રો
પૂરાં પાડો અને પછી તેમને ઓરિસ્સાના
કાંઠે હેમખેમ પહોંચાડી દો !
આ પ્રકારનું મર્યાદિત પાયે હાથ ધરાતું
કમાન્ડો મિશન બહુ મોટા પાયે ખેલાતા
વિશ્વયુદ્ધનો તખ્તો પલટી શકે એવું જર્મન
નૌકાદળે કેમ ધારી લીધું ?
ધારણા સાવ આધાર
વિનાની ન હતી. બ્રિટનની
દ્રષ્ટિએ જોતાં ભારત પ્રથમ
વિશ્વયુદ્ધમાં તદન ભયમુક્ત
હતું. ક્યાંયથી હુમલો થવાનો
ડર ન હતો, એટલે બ્રિટીશ
હકૂમત આપણે ત્યાં ફાજલ
પડી રહેલો શસ્ત્રભંડાર
યુરોપી રણમેદાન માટે
જહાજો દ્વારા મોકલતી હતી. આ સપ્લાયને
‘એમ્ડેન’ જો રોકી પાડે તો યુરોપમાં લડતા
જર્મન લશ્કરની સ્થિતિ બેશક મજબૂત બને.
આંદામાનની વાત કરો તો ત્યાં વીર
સાવરકર, અવિનાશ ભટ્ટાચાર્ય, હેમચંદ્ર દાસ, ઉપેન્દ્રનાથ
બેનરજી, વિભૂતિ ભૂષણ સરકાર, ઋષિકેશ કાનજીલાલ વગેરે સહિત ૧,૫૦૦ ક્રાંતિકારો ત્યાંની ૬૯૬ કોટડીઓમાં
આજીવન કેદની સજા ભોગવતા હતા.
કાળાપાણીની એ સજા વાસ્તવમાં મૃત્યુ
પર્યંતની હતી. ભારતની મુખ્ય ભૂમિ પર
જીવતા પાછા ફરવાની સંભાવના તો સોએ
અડધો ટકો પણ નહિ.
આખો લેખ👇
https://www.facebook.com/share/p/1FLmBvhGFR/

Read More