ખળજ્ઞાની અંગ
પંડ પખાળે પૂજે પાણ. મનમાં જાણે હું તે જાણ;
આપે આતમ બારે ભમે, મુરખ સામું માંડી નમે;
ડાહ્યો પંડિત થઈ આદરે, તે અખા ધાર્યું કેમ કરે. ૨૮૨
ગુણ જોઈએ તો ગુરુને શોધ, જે ગુરુ આપે તત્વનો બોધ;
પરને વળગ્યો હીંડે અંધ, આંખ્યાળો નવ વળગે ખંધ;
સદ્ગુરુ વિના ગળે બાંધી શલા, એમ અખો ભર્મ્યા ભલભલા. ૨૮૩
હરિ કહે છે તે કહે ક્યાં વસે, વેને જાણ કાયા કાં કસે;
બ્રહ્મજ્ઞાનમાં સર્વે વળે, જેમ બહુ મહોર સોનું એકલે;
તૃણ માર્યે કેમ પાડો મરે, એમ અખા સૌ સાધન કરે. ૨૮૪
🙏સંતોના ચરણોમાં નમસ્કાર🙏