Gujarati Quote in Blog by Shefali Trivedi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંકટ આ એક એવો ટોપિક છે જેના વિશે એ જ લખી શકે કે જે એમાંથી પસાર થયું હોય. કારણકે અનુભવ વગર તો કઈ લખી જ ના શકાય બરાબર ને ??? અને 99.99 સંકટો માણસે જાતે જ ઉભા કરેલા હોય છે.

જ્યારે માણસ સંકટ માં હોય ત્યારે 2 વાત બને ક્યાંતો માણસ નેગેટિવ થાય યાતો એ પોઝિટિવ થાય.

હું ચોક્કસ એવું માનું છું કે દરેક પરિસ્થિતિ માં પ્રભુ આપણી સાથે હોય છે. અને દરેક ને પોતાનું સંકટ/તકલીફો વધારે વધારે જ લાગે.

સંકટ ના વિવિધ પ્રકાર હોય છે જેમકે નાણાંકીય સંકટો, સંબંધો વિશેના સંકટો, ભણતરના સંકટ......વિગેરે. એ ખરાબ સમય માં માત્ર માણસ જો પોતાના પર વિશ્વાસ રાખે અને બીજું કે દરેક પોતાની અંદરનો આત્માનો અવાજ જો સાંભળે તો એને પરિસ્થિતિ માં થી બહાર નીકળવાની રસ્તો મળે જ છે અને જે સાંભળી ને બી ના સાંભળે એ વ્યક્તિ સંકટો ના વાદળ માં અટવાયા કરે છે.

સંકટ માંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે "સમય". જો માણસ પ્રભુ અને પોતાના આત્મા ના અવાજ ને સાંભળી સમય પસાર કરી શકે એ માણસ ને રસ્તો આપો આપ મલી જ જાય છે. આ મારો અનુભવ છે મેં પહેલા જ કીધું હતું ને કે કોઈ પણ અનુભવ વગર ના લખી શકે.
બી પોઝિટિવ ઓલ્વેઝ....

✍✍✍✍શેફાલી ત્રિવેદી😊
#સંકટ

Gujarati Blog by Shefali Trivedi : 111531916
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now