દુષ્ટતા જન્મજાત હોતી નથી.એ કોઇ પર રાખેલ આશા ની બદલી માં નિરાશા પરિણામ છે.માણસ પોતાની દુનિયામાં , પોતે કરેલ દુષ્ટતા માટે સાચો હોય છે.
પણ આગળ જતાં એ જ માણસ પોતાની દુષ્ટતા માટે પછતાવો કરે છે કારણ કે એની દુષ્ટતા એ ઘણા નિર્દોષ લોકોનો ભોગ લીધો હોય છે.
કહે છે કે પારકી આશ સદા નીરાશ...પણ પછી આપણે ખુદ પર જ આશા રાખીએ છીએ અને એ પણ નિરાશા મા ફેરવાઈ ત્યારે આપણે ખુદ ને દંડ આપીયે છીએ.જે સારુ નથી.ભરોસો અને આશા બેય જુદા જુદા બળ છે.નિરાશા મળે ત્યારે દંડ આપવાની બદલે ભરોસો રાખવો સારો, કેમકે ત્યારે ખૂદ ને વિચારવાનો અવકાશ મળે છે કે આપણુ કયું કુત્ય સામાજીકતા ની વિરુદ્ધ હતુ અને કયા આપણે પરોપજીવી નુ વલણ રાખ્યું હતું.
#દુષ્ટ