#કાવ્યોત્સવ -૨
શિલ્પી
ઇશ્વર આપ શિલ્પી આપ ચિત્રકાર, આપની હર રચના અપરંપાર.
અનંત ગગનમાં કેવા અદભૂત બનાવ્યા નવ ગ્રહ ગોળાકાર.
તારાં મંડળમા આપી આકાર પહેરાવી દિધા અલગ-અલગ અલંકાર.
ક્યાંક વલયો તો ક્યાંક રંગોના ભંડાર તો ક્યાંક શિતળ ચંદ્રકાર.
હે શિલ્પી એ બધું સમજાઈ ગયું પણ ક્યાંથી લાવ્યા જલધાર.
જળચર ખેચર અને ભુચર જીવો ને ઘાટ ઘડિયા વંદન તમને રચાનાકાર.
આપની અલોકિક ફુલો ની પાંખડી અને વૂક્ષ વેલા નો નહીં પાર.
નર કહે આજનો આ માનવી ઇશ્વર નું શિલ્પ બનાવી કરે આડંબર.
અભિમાનથી અંતર મન ભરેલા ને ક્યાંથી થાય પ્રભુના સાક્ષાત્કાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા, કરછ