English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક શ્રીમંત વૈષ્ણવ નો રોજ નો નિયમ કે દરિયા કિનારે ફરવા જાય ,ચાલતા અષ્ટાક્ષર નું રટણ કરતા જાય.
એ ચાલે ત્યારે રેતી માં એમના પગલાં સાથે બીજા પણ બે પગલાં ની છાપ ઉમટે, અને એમને અનુભૂતિ થાય કે પ્રભુ મારી સાથે જ ચાલે છે.
સમય બદલાયો ને દુઃખ ના દાડા આવ્યા,
પણ એમણે નિયમ ન બદલ્યો ,
રોજ પ્રમાણે દરિયા કિનારે ગયા અને અષ્ટાક્ષર બોલતા જાય,
પણ એમના ધ્યાન માં આવ્યું કે આજે બીજા બે પગલાં ની છાપ નથી ઉમટતી,
મનોમન જ બોલ્યા : પ્રભુ સૌ છોડી ને ગયા, તમે પણ સાથ છોડી દીધો ?
ત્યારે પ્રભુ નો સ્વર સંભળાયો :
વ્હાલા વૈષ્ણવ,જે પગલાં ની છાપ તને દેખાય છે તે મારી છે.
વૈષ્ણવે વિચાર્યું તો મારા પગલાં ની છાપ ક્યાં ?
ત્યારે પ્રભુ એ કહ્યું : આજે તને મેં મારા ખભે બીસાડી દીધો છે ,જેથી તને કષ્ટ ન પડે.
એટલે તારા પગલાં ની છાપ નથી દેખાતી.

English Shayri by બાબા સત્સંગી : 111124169
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now