" સંસ્કારોની ધરોહર "
ઘરોમાં જે સદા સંસ્કારોનું સિંચન રાખે છે.
એ જ દિલમાં સદાય સંસ્કૃતિનું મનન રાખે છે.
તજી પાશ્ચાત્ય પાછળની આ આંધળી દોટને,
ભારતીય સંસ્કૃતિનું એ કાયમ જતન રાખે છે.
મોટાને દઈ આદર ને નાનાને જે વ્હાલ આપે,
સંસ્કારોનું મનમાં એ કેવું રૂડું ભવન રાખે છે.
નમાવી શીશ માતૃભાષા ને ધરતી માના ચરણે,
ધબકતા હૃદયમાં હરેક જણ સદા વતન રાખે છે.
કળા, સંગીત ને ઉત્સવ તણી જે ધરોહર છે,
ક્ષણે ક્ષણમાં એ પર્વનું પવિત્ર ઉપવન રાખે છે.
ભલે બદલાય દુનિયા આખી સમયની સાથે,
સંસ્કારોની મૂડી સાથે 'વ્યોમ' જીવન રાખે છે.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.