જે ચારેબાજુથી હેરાન પરેશાન હોય,
ભીતર કઈંક કણસતું હોય,
જીવન વેરવિખેર પડ્યું હોય,
કંઈ જ સૂજતું ના હોય,
કોઈ પાસે કઈંજ અપેક્ષાઓ બાકી રહી ના હોય,
જીવન ગુમડાની જેમ પાકી ગયું હોય,
અને છતાંય એ વ્યક્તિના મોઢા પર હાસ્યની રેખાઓ પડતી હોય,
ત્યારે જિંદગીને પોતાને એ વ્યક્તિ પર ફિદા થઇ જવાનું મન થઇ જતું હોય છે.❤️
-@nugami