બે મોટી વયના પુરુષ મિત્રો જ્યારે એકબીજાને મળે ત્યારે ભાગ્યે જ તેઓ એકબીજાના અંગત સુખ દુઃખની વાતો કરતા હોય છે. મોટેભાગે તેઓ રાજકારણ,હવામાન,સંસ્કૃતિ એ બધી વાતો કરતા જોવા મળશે કારણ કે બંનેને ખબર છે ચર્ચાઓ કરવાથી પરિસ્થિતિઓ બદલાતી નથી, તેથી એકબીજાનું દુઃખ વધારવા કરતા હુંફાળો સથવારો બનીને રહેવું વધુ જરૂરી અને યોગ્ય છે. ખરું ને?