જૂની યાદો✍️
************
કુટુંબનાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર ચાલતો હતો.
ચાંલ્લો લખાવવાના ટેબલ પાસે ખાસી એવી ભીડ હતી, અને એ ભીડનું કારણ એ હતું કે,
એ સમયનાં જમણવાર આજકાલની જેમ બુફે ટાઇપ નહોતાં થતાં, એ સમયે તો, નીચે જમીન પર લાંબા આસન પાથરી લાઈનસર પંગતો પડતી, એટલે લગભગ બધા એક સાથે જમીને ઉભા થાય, ને પછી સીધા પહોંચે ચાંલ્લાના ટેબલ પાસે.
એકતો ગામનાં ગામમાં જ, કુટુંબનોજ પ્રસંગ હોય, એટલે સગા-સંબંધીઓની સાથે,
લગભગ અડધું ગામ પણ જમવા માટે આવ્યું હોય.
અને પાછું ચાંલ્લો લખવામાં કુટુંબના જ લગભગ એક બે એવા સભ્યો ચાંલ્લો લખવા માટે ચાંલ્લાના ટેબલ ઉપર બેઠા હોય, જે લગભગ દરેકના પ્રસંગમાં આ જવાબદારી એજ નિભાવતા હોય.
એ ચાંલ્લાના ટેબલ પાસેની ભીડની આસપાસ,
જીવનની પચાસી વટાવી ચૂકેલા એક પ્રૌઢ કુટુંબી થોડા સંકોચ, કે પછી થોડી ઘણી મુંઝવણ સાથે, આંટા મારી રહ્યા હતા.
...........પણ હા, એ પ્રૌઢ સંબંધીનું આમ ચાંલ્લો લખવાના ટેબલની આસપાસ આંટા ફેરા મારવાનું સાચું કારણ તો ફક્ત બેજ લોકો જાણતા હતા,
એક એ પોતે, ને બીજા......
બીજા એ બે સંબંધીઓ, કે જે
ચાંલ્લો લખવા માટે બેઠા હતા.
વાચક મિત્રો,
જો તમને એ વડીલના આંટા ફેરા મારવાનું કારણ શું હોઈ શકે ? એની ખબર પડી હોય તો......🙏
Please Comment કરશો.