Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.9k)

જે સમયે જે થવાનું છે, એમાં
આપણી ઉતાવળથી ભલે કોઈ ફેર નથી પડતો, પરંતુ હા
આપણી આળસથી તો ચોક્કસ બહુ મોટો ફેર પડતો હોય છે.
- Shailesh Joshi

Read More

કોઈપણ સંબંધને
જરા સરખી પણ આંચ આવે એવો વ્યવહાર
જે વ્યક્તિ તરફથી ના થાય, એવી વ્યક્તિ
ભલે એના જીવનમાં એકલી પડે,
પરંતુ એ વ્યક્તિને
પ્રભુ ક્યારેય દુ:ખી તો નહીં જ થવા દે.
- Shailesh Joshi

Read More

મારી આવતીકાલ સુધરે એના પ્રયત્નોમાં તો સૌ પુરી જિંદગી પીડાય છે, એના કરતાં જો આપણે આપણી આજને જ એવી રીતે જીવીએ કે, બીજા દિવસે સવારે
જ્યારે આપણે ઊઠીએ ત્યારે આપણે
પહેલી પ્રાર્થના એવી કરી શકીએ કે,
હે પ્રભુ આજે પણ મારી ઉપર તારી કૃપા દ્રષ્ટિ એવી રાખજે કે, જેથી કરીને મારી આજ પણ
ગઈકાલ જેવી જ પસાર થાય.
- Shailesh Joshi

Read More

દેખાદેખીના આ દોરમાં
કોઈ આગળ નીકળી જાય છે,
તો કોઈ પાછળ રહી જાય છે,
પરંતુ ખરી જિંદગી તો જે લોકો
આ ઝંઝટમાં નથી પડતાં,
એજ જીવી જાય છે.
- Shailesh Joshi -

Read More

અહીં સુધીની જીંદગીએ
એટલું તો શીખવાડયું છે કે,
કોઈને પણ વધારે કંઈ કહેવાની જરૂર લાગતી નથી,
ને સમયની થપાટ જેવી શબ્દોની થપાટ
ક્યારેય કોઈને વાગતી નથી, અને
આફત ક્યારેય કોઈની પાસે
આવવાની રજા માંગતી નથી.
- Shailesh Joshi

Read More

આપણે ભલે આખી દુનિયા ફરીએ, પરંતુ આપણું ઘર જ એક એવી જગ્યા છે, કે જ્યાં પહોંચ્યા પછી જ આપણને સાચી હાશ થાય છે,
તો એજ "હાશ" રોજે રોજ
આપણે જ્યારે કામધંધેથી ઘરે આવીએ, અને
ત્યારે જો એ "હાશ" આપણને ના થાય,
તો એમાં વાંક કોનો ?
- Shailesh Joshi

Read More

यदि हमारे कमज़ोर होने से, हमारी मुश्किलें कमजोर होतीं है, तो कमज़ोर पड़ने में कोई तकलीफ नहीं, मगर ऐसा नहीं होता, बल्कि हमारे कमज़ोर होने से हमारे साथ-साथ वो लोग भी कमज़ोर हो जाते हैं, जिनसे हम कई रिस्तों से जुड़े होते हैं. और यह सबसे बड़ी तकलीफ है, इसलिए हमारे पास हौंसले का होना ही अति आवश्यक है, हमारे लिए भी, और हमारे लोगों के लिए भी.
- Shailesh Joshi

Read More

"લગભગ"
એવું કહી શકાય કે,
જ્યાં તકલીફોનું પ્રમાણ ઓછું
ત્યાં કંટાળાનું સ્થાન ખાસ્સું


- Shailesh Joshi

સમયે સમયે મોબાઈલની બેટરી ચાર્જ અને એમાં બેલેન્સ કરતા આપણે, એનો ઉપયોગ એવો તો નથી કરતા ને...કે ધીરે ધીરે આપણી બેટરી ( પાવર ) ઓછો થતો જાય, ને સાથે સાથે આપણું બેંક અને માનસિક બેલેન્સ પણ ઓછું થતું જાય ?
- Shailesh Joshi

Read More

બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલા કોઈપણ સામૂહિક વિવાદનો યોગ્ય ઉકેલ ત્યારે જ મળે, કે જ્યારે
આપણે એ વિવાદ કઈ બે વ્યક્તિ વચ્ચે છે ?
એ જોવાને બદલે, જો આપણે એ બાબત પર ફોકસ કરીશું કે, એ બે વચ્ચે ચાલી રહેલા વિવાદનો મુદ્દો શું છે ? ને એ જાણ્યા પછી જો આપણે એ બે વ્યક્તિમાંથી જે વ્યક્તિ સાચો હોય એ વ્યક્તિનાં પડખે ઊભા રહીશું, તો તો અને તોજ સારું પરિણામ મળે. "બાકી નહીં"
- Shailesh Joshi

Read More