અછાંદસ કાવ્ય – શિર્ષક: એક મૌન વાર્તા
હું ઘાયલ છું,
છતાં મારા હોઠ પર હાસ્ય ટકેલું છે.
આ દર્દ, આ અંદરનો ખાલીપો—
બસ ચૂપચાપ જીવાય છે.
સપનાઓ તૂટતા રહ્યા, આશાઓ વિખરાઈ ગઈ;
હું ફક્ત એ ટુકડાઓ વીણું છું.
આ ઘાવ આટલા ઊંડા કેમ છે?
તે ક્યારે રુઝાશે, એ સવાલ રોજ મારા મનને પૂછે છે.
આંખોમાં ભલે હોય વરસાદ,
પણ જગત સામે તો હું ખુશખુશાલ છું.
એક સમય હતો, જ્યારે
હું ખુલ્લા આકાશમાં ફરતો હતો,
મુક્ત પંખીની જેમ.
આજે ભલે બંધન છે, હૃદયમાં ખાલીપો છે,
પણ અંદરની લડાઈ જીવંત છે, હિંમત હારી નથી.
લાગણીઓના વમળમાં ફસાયેલું
આ મૌન, એક મોટી વેદના છે.
પણ...
આ જ ઘાવ મારી શક્તિ છે.
હું નવી સવારની શોધમાં છું,
એક નવી શરૂઆતની સ્વયમભુ આશા છું.
હા હું એક "સ્વયમ’ભુ’" પ્રજ્વલિત પ્રકાશ છું.
અશ્વિન રાઠોડ"સ્વયમ ’ભુ’"