મળશે મોક્ષ
મૃત્યુ પછી જીવને
કહ્યું પ્રભુએ
વ્યાખ્યા મોક્ષની
સમજે કેવી રીતે
માનવજાત
એ અટવાયો
રૂપિયાના મોહમાં
લાગણી છોડી
નથી સમજ
શું સાચું ને શું ખોટું?
ભૂલ્યો કર્મને
કર્મ કરી લે
સૌનું ભલું ઈચ્છી લે
સ્વાર્થ છોડી દે
મારું ને તારું
કરવાનું છોડી દે
સાથે રહી લે
આ જ જનમે
મોક્ષની અનુભૂતિ
તું કરી લેશે