Gujarati Quote in Religious by Deepak Vyas

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❇️✳️❇️✳️❇️✳️
*सुप्रभातम्*
❇️✳️❇️✳️❇️✳️
⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*પડતર દિવસ એટલે શું ?અને તે શા માટે ?*
⚜️⚜️⚜️⚜️⚜️⚜️

વિક્રમ સંવત નું વષૅ ચન્દ્ર પર આધારિત છે.પૃથ્વી પર ની ઘટતી ઘટનાઓ ચન્દ્ર ની પૃથ્વી સાથે ની
અને પૃથ્વી ની સૂયૅ સાથેની સાપેક્ષ ગતિ સાથે આધારિત હોય છે.
દિવાળી માં આ વખતે તિથિઓ ના કારણે દિવાળી અને નૂતન વષૅ ની ઊજવણી કયા દિવસે કરવી તે વિશે લોકો ના મનમાં ઘણા પ્રશ્નો હોય છે.
બુધવારે નૂતન વષૅ ની ઊજવણી કરી શકાશે પરંન્તુ આજે મંગળવારે પડતર દિવસ કેમ ?
*પડતર દિવસ એટલે શુ ? પડતર દિવસ શા માટે ?*

તો આવો આપણે આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્ન નું સમાધાન કરીએ.

વિક્રમ સંવત નું કેલેન્ડર ચન્દ્ર ની ગતિ પર આધારિત છે.સામાન્ય રીતે વિક્રમ સંવત ના મહિનાઓ ચન્દ્ર જે નક્ષત્ર માં પ્રવેશે છે તે ઉપર થઈ તે મહિનો નક્કી થાય છે.
દરેક માસ ની શરૂઆત ચંન્દ્રના જેતે નક્ષત્ર માં પ્રવેશ કરે છે તેમાસ ની નો પ્રારંભ થતો હોય છે .
જેમ કૃતિકા નક્ષત્ર થઈ કારતક માસ નક્કી થાયછે, મૃગષિશ નક્ષત્ર થી માગસર માસની,પુષ્પ નક્ષત્ર થી પોષ,અને મઘા નક્ષત્ર થી માઘ માસ નો પ્રારંભ થાય છે.
આવી રીતના ચન્દ્ર ની જે ગતિ જે નક્ષત્ર માં હોય છે.તે રીતે માસ ના નામ પાડવામાં આવે છે.અને તે મહિના ની શરૂઆત થાય છે.
આવી જ રીતે આસો માસ ની અમાવાસ્યા બાદ ચન્દ્ર કૃતિકા નક્ષત્ર માં પ્રવેશ થતો હોઈ,એટલે કે કારતક મહિનો શરૂ થતો હોય છે.પરંન્તુ ચન્દ્ર ના પૃથ્વી સાથે ના સાપેક્ષ પરિભ્રમણ સમયે પૂણૅ દિવસ માં ન હોવાથી ક્યારેક કૃતિકા નક્ષત્ર માં પ્રવેશ કરી શકતો નથી એટલે કે ચન્દ્રે વિશ્વાસ ઘાત એટલે કે ધોકો કયૉ કહેવાય. તે દિવસે માસની એકમ ન થતાં તે પછી ના દિવસે એકમ થી નવો માસ શરૂ થાય છે.
પરંન્તુ દિવાળી એટલે કે આસો માસની અમાવાસ્યા બાદ વિક્રમ સંવત પૂણૅ થયું ગણાય.વળી નવું વષૅ શરૂ નથી થતું તેથી *આ દિવસ ને બન્ને વષૅ વચ્ચે નો બફર દિવસ કે પડતર દિવસ ગણાય*

જુના સમય માં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાના ચોપડાજાળવતાં.
દિવાળી ના દિવસે વષૅ નો ચોપડો પૂણૅથતો.નવા વષૅ નો ચોપડો હજુ શરૂ થયો નથી.તેથી દુકાને વેપાર કરવા માં આવે તો નોંધવો કઈ જગ્યા એ.
આ સમસ્યા ને નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી.તે દિવસ ને ધોકો યા ધોખા દિવસ તરીકે ઓળખવામાં આવતો.
શા માટે પડતર દિવસ આવે છે ?
મિત્રો આ વાસ્તવિકતા જાણ્યા પછી આપના મન માં ઉદ્ભવતા પ્રશ્નનું સમાધાન તો થયું.

*ચંન્દ્ર ની ગતિ ના કારણે જે દિવસ બદલાયો નહી તે ચન્દ્ર એ કરેલા ધોકા એટલે કે ધોખા ના કારણે પડતર દિવસ છે*.

🕉🔯🕉🔯🕉🔯
જય સંઘશક્તિ સા
🕉🔯🕉🔯🕉🔯

ऐसे और पोस्ट देखने के लिए और संकल्प हिंदू राष्ट्र से जुड़ने के लिए क्लिक करें 👇👇

https://kutumbapp.page.link/rDzTcUTeLC2CUgih9?ref=RVPYK

Gujarati Religious by Deepak Vyas : 111840103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now