ભુવા , માતાજી આવવા, વળગણ થવું , મામા વગેરે અંગે મારુ અંગત વિશ્લેષણ...
ભગવાન અને માતાજી,મામા વચ્ચે અંતર છે . ભગવાન એટલે કે જે આત્મા પરમાનંદ, નિરાકાર છે . યોગ ની ભાષામાં જે બ્રહ્મ છે.પણ જે શક્તિ સમાજ નાં કલ્યાણ માટે સ્વયં ઈચ્છા થી રોકાઇ ગય છે તેમને જ માતાજી અને મામા કહેવાય છે.અથર્વવેદ માં દરેક મંત્ર આવી શક્તિ ઓને પ્રગટ કરવા અને ઈચ્છા પૂર્તિ કરવા માટે યજ્ઞો આલેખ્યા છે.
ભુવા એટલે એવી વ્યક્તિ જે અંદરથી બધી દુન્યવી જંજાળ થી નિર્લેપ છે , તેમને બ્રહ્મચર્ય પાળવું પડે છે . કોઈ પણ પ્રકારની શક્તિ નું આગમન જેવું તેવું શરીર સંભાળી શકતું નથી માટે જ ભુવા પોતાને જ પ્રહાર કરતા હોય છે કારણ કે તેમની આત્માં , મોટી આત્મા ને સહેલાઈથી સંભાળી શકતી નથી.