‘ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી.’
જુઓ તો ખરા ! મહાનલની જ્યોતમાંથી નભમાં ચંદ્ર સળગ્યો, સૂરજ સળગ્યો ને આકાશની આખીય અટારી ઝળહળી ઊઠી. ઉપર આટલું બધું ને નીચે મારી નાનકડી સગડીને એક તણખોય નહીં ? અલ્પ માનવી ને એની અલ્પ યાચના એની સામે વિરાટ મહાનલ ને એને વિરાટ સંપત્તિની વહેંચણીમાં આ પક્ષપાત શાને ? સામાન્ય રીતે દુન્યવી જીવોને સંસારની વિપત્તિઓ નડે – સંતાનની, સંબંધોની, કીર્તિની, ધનની તેના અભાવની કે તેણે આપેલાં કષ્ટોની પણ કવિની વિપત્તિ આગવી. ચારેબાજુના તત્વોને મળેલી જ્યોતિ અત્યાર સુધી પોતાને ન સાંપડી એ કવિને મન મોટી વિપત્તિ, ઘોર આપત્તિ. આટલો જ ફરક જગતમાં ને ભગતમાં, માગણમાં ને ફકીરમાં. બંનેની ફેલાયેલી અંજલિની અપેક્ષામાં.🙏