આગળ એ વધે છે જે મનને સ્થિર રાખે.
આગળ એ વધે છે જે મનને ધીર રાખે.
પોતાની ઔકાત જોઈને કામ કરવાનુંને,
આગળ એ વધે છે જે કર્મની લકીર રાખે.
ધ્યેય સિદ્ધિ લગી બસ મંડ્યા જ રહેવાનું,
આગળ એ વધે છે જે મન નિર્મળનીર રાખે.
ચડસાચડસીથી પ્રગતિ ન થાય કદી કોઈની,
આગળ એ વધે છે જે મન સદા ફકીર રાખે.
સુખદુઃખની આવનજાવન ચાલ્યા કરવાની,
આગળ એ વધે છે જે મન પ્રતિક્ષાચિર રાખે.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.
#આગળ