પાયાના પથ્થરની કર્મઠતા કાળક્રમે સમયના ગર્ભમાં દટાઈ જતી હોય છે.
એ પાયો ઘરનો મોભી હોય કે અન્ય ક્ષેત્રની વ્યક્તિ પણ હોઈ શકે. આજે એ પાયાને આધાર બનાવીને ઊભેલું અને રંગરોગાન કરીને ચકચકિત કરેલું લોભામણું ચણતર જ જગતને આંજી નાખતું દેખાય!
તો પણ, એ સહનશીલ પાયો તો પોતાને ટેકે ઊભેલા વર્તમાનને જોઈને રાજી જ થતો હોય.
~Damyanti Ashani