Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આઝાદ ભારત - ગુલામ પ્રજા
મધરાતે મળેલ આઝાદીનો હજુ સુર્યોદય થયો જ નથી . પ્રજા હજુ ગરીબી , ભ્રષ્ટાચાર , સતાશાહી ના અંધકારમાં કેદ છે . આઝાદ ભારતમાં આંદોલનનો દોર ચાલે જ છે . છતા ભારત આઝાદ છે !
હા, લાલબહાદુર શાસ્ત્રી કર્મનિષ્ઠ હતા કોઈ સંદેહ નથી . પોતાના કાર્યકાળમા દેશને પોતાના પગ પર ઉભો રહેવા આહ્વાન કર્યું અને દેશની જનતાએ તેમના શબ્દોનો સ્વીકાર પણ કર્યો . જ્યારે સત્તામાં આવ્યા શાસ્ત્રીજી ત્યારે તેમના જ નેતાઓ કહેતા હતા " આ નાના કદનો માણસ શુ કરી શકવાનો ?"
જ્યારે ભારતની સેના લાહોરના સીમાડે ઉભી હતી ત્યારે ખબર પડી કે દેશ માટે કદ નહી મન ની જરૂર હોય છે .
ભ્રષ્ટાચારને નાથવા માટે ખીચડો સરકાર રચીને ભ્રષ્ટાચાર સામે મોરચો માંડ્યો અટલજીએ . પણ આ દેશના લોકોની માનસિકતા જ એટલી હલકી થઈ ગઈ કે ખરા-ખોટાનો ભેદ ઉકેલી શકવામા નિષ્ફળ નીવડી છે . એટલે જ કહેવાય કે "થોડા પણ ઈમાનદાર બનવાની કોશિશ કરો તો અટલ બિહારી પણ રન આઉટ થઈ જાય છે"
બીજા વિશ્વયુદ્ધમાં પુરો યુરોપખંડ અસ્તિત્વ ગુમાવે તે સ્થિતિમાં હતો . જર્મની, પોલેન્ટ, ફ્રાંસ , બ્રિટન વગેરે દેશમાં ભારે જાનહાનિ અને માલહાનિ થઈ હતી પુર્ણ વ્યવહાર ખોરવાય ગયો હતો છતા પણ આજે યુરોપના દેશો વિકસિત દેશમાં ગણવામા આવે છે . જ્યારે ભારત દેશ પાસે યુરોપ કરતા વધુ કુદરતી સંપત્તિ હોવા છતા પણ ગરીબી સામે લડી રહ્યો છે . આ પરિસ્થિતિનું એક જ કારણ છે વધતો જતો ભ્રષ્ટાચાર અને દોગલુ નેતાપણુ .
વિશ્વમાં કાયદો અસામાજિક તત્વો પર કાબુ લેવા ઘડવામાં આવે છે જ્યારે ભારતમાં કાયદાના જ ઓઠ નીચે મન મુકી ભ્રષ્ટાચાર આચરવામા આવે છે . વિઆઈપી લોકો માટે કાયદો એક મજાક બની ગયો છે . કાલે જ એક મંત્રીનો દીકરો શરાબપાન કરતો પકડાયો તેને શુ સજા થઈ ? નેતાઓના ચરણ ચાટે છે આજે કાયદો , ૧૯૮૦મા ચારાકાંડ કરવામાં આવ્યું તેનો ન્યાય ૨૦૧૨મા માંડ માંડ મળ્યો અને લાલુ પાંચ વરસ જેલમાં રહે એવું ફરમાન માન્ય ન્યાયાલય દ્વારા આપવામા આવ્યું .
બે દીવસ પહેલા એક છાપામાં વાંચ્યું "ગરીબીથી તંગ આવી એક માતાએ પોતાનું બાળક બસો રૂપિયામાં વહેંચ્યું " અને સાહેબ કહે છે દેશ બદલ રહા હૈ ! નેપાળને આટલા આપ્યા , બાંગ્લાદેશને આટલા આપ્યા , ભૂતાનને આટલા આપ્યા , અફધાનિસ્તાનને આટલા આપ્યા અરે સાહેબ પહેલા તમે દેશના ગરીબી લોકોને બે વખતનું જમવાનું આપો , પછી તમારે જેને જે આપવું હોય તે આપજો . ભૂખ જ માણસને હેવાન બનાવી દે છે એ યાદ રાખજે . એવું ના બને કે ભૂખથી તડપતો આપણો જ ભાઈ કાલે એક રોટલી માટે શત્રુનો હાથ થામી લે . ભૂખ જોતી નથી કોણ કોણ છે એ , ચપટી ચોખાની દાસી બનીને રહી જાય છે .
જે માતાના સ્તનમાં ધાવણ સુકાય ગયું હોય એ માતા કંઈ રીતે શિવજી કે રાણાની કલ્પના કરી શકે . પુરા ભારતને કરમુક્ત કરી શકી એટલું કાળુનાણુ વિદેશમાં પડ્યું છે . હા, તેને પાછું લાવવાના વાયદા ખુબ થયા પણ તે હજુ સુધી લાવી શકાયુ નથી . ખુબ જ સરળ કામ છે બ્લેકમની પાછી લાવી તે , ફક્ત તે રકમને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરી આપો એટલે એ રકમ દેશમાં આવી જશે પણ આવુ કરે કોણ ?

મનોજ સંતોકી "માનસ"

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111430154
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now