The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કોઈનું આગમન જ્યારે હદયની ભીંતર થાય છે પછી ખાલીપો, એકલતાની ફરિયાદ દૂર થાય છે? - Parmar Mayur
🙏🙏ચંદ્રમાં પડેલા તેનાં કાળા ડાઘ પ્રત્યે ધ્યાન આપતા પહેલા અંધકારમાં તેનો મળતો શ્વેત પ્રકાશ પણ મહત્વનો હોય છે.🦚🦚 💺આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ 💺
વેરાન થઈ રહેલા જીવનમાં. તારું આગમન વસંત જેવું લાગે છે. - Parmar Mayur
🙏🙏જે પૈસા માટે 'હવા પાણી' દૂષિત કરતાં માણસ તું અચકાતો નથી. જ્યારે તે જ પૈસાથી ખરીદવા પડશે હવા પાણી ત્યારે તેનું 'મૂલ્ય' સમજાશે તને.🦚🦚 ⏳રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 💡
કર્મ ભગવદ્ ગીતાનો મુખ્ય સાર રહ્યો છે. માણસ તેના નામથી ફક્ત ઓળખાય છે જ્યારે કર્મથી ઓળખાઇ જતાં હોય છે. કર્મના રહ્યા બે પાસાં. એક સારું કર્મ અને એક નિમ્ન અથવા દુષ્ટ કર્મ. માણસની કર્મના આ બે પાસામાં જેની પસંદગી કરે છે તે મુજબ તેનાં વ્યકિતત્વ ની સાચી ઓળખ છતી થઇ જતી હોય છે. ઈશ્વરનું ખુશી પૂર્વકનું સાનિધ્ય પામવા કર્મ ખુબજ અગત્યનો ભાગ ભજવી શકે છે. જેને પોતાના સારા કર્મો થકી દરેક જીવને સુખ, શાંતિ કે સંતોષ આપવા પ્રયત્ન કર્યો છે કે પ્રયત્નશીલ રહ્યો છે. આ સારાં કર્મથી ભલે કોઈ વિરોધી કે હિતશત્રુઓ ઇર્ષા થી દુઃખી રહે. ઈશ્વર તેમજ જે જીવને શાંતિ મળી છે તેને મળેલો હાશકારો! હૃદયને એક અલગ જ આનંદ અને તૃપ્તિ આપે છે. આ આનંદ અને તૃપ્તિ જગતના દરેક સુખ વૈભવ કરતાં કંઈક અલગ જ અહેસાસ આપે છે.
🙏🙏કર્મ ને જાણી લો પછી આપોઆપ ભગવદગીતા સમજાઇ જાશે, ફળની ના રાખો ઝાઝી ચિંતા, વૃક્ષને પ્રેમ અને પાણીની સિંચાઇ આપતા જાવ.🦚🦚 📖શ્રીમદ્ ભગવદગીતા જયંતિ📖
🙏🙏અરે જુઓ! સફળતા સમયે 'પુષ્પો વેરવા' હાથ ઘણા ઉઠ્યા છે. એ હાથ પણ ધ્યાને રાખો જે પંથ પર 'કંટક વિણવા' આવ્યા છે.🦚🦚 - Parmar Mayur
🙏🙏ઈશ્વરનું સ્વરૂપ બાળક ને એમ જ કહ્યું નહીં હોય. કેવું! મન મોહે તેવું તેનું ભોળપણ, કેવી ચહેરાની નિર્દોષતા! તેને ગુસ્સો આવે તો રડી લે કે પછી થોડું લડી લે. પછી કશું જ મનમાં ભરી ના રાખે, જરા પણ તેને વેરભાવ નહીં અને રાખવો શોભે પણ નહીં. બાળકોનું હાસ્ય ખરેખર ઔષધીય ગુણોથી ભરપૂર હોય, એકદમ નિર્મળ, જેવા ભીંતર ભાવ ઉપજે તેવું જ બાહ્ય મુખ દ્વારા આલેખન. બાળક બસ બાળક બનીને રહે છે તેની મસ્તીમાં મસ્ત દુનિયાની ખોટી દુનિયાદારી થી તેને કોઈ લેવાદેવા નહીં. જો ઈશ્વર ખરેખર કંઈક માંગવાનું કહે, તો હસતું બાળપણ માગું.🦚🦚
ઈશ્વરને ઈર્ષા,લોભ,કપટ કે કટુતા ક્યાં સ્પર્શ છે. અરે! આ દુર્ગુણો બાળકો ને પણ ક્યાં સ્પર્શ છે!🦚🦚 👶🏻રાષ્ટ્રીય બાળ દિવસ 🧒
🙏🙏જીવમાત્ર પ્રત્યે "દયાભાવ" એ જ તો શાંતિનું સુત્ર છે.🦚🦚 🤝 world kindness day 🤝
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser