Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏 ઈશ્વરે આપેલા દાંત ખાવા માટે પણ ઉપયોગી છે. કોઈને નુકશાન પણ પહોંચાડી શકવા સમર્થ છે તેમજ એક નાના હાસ્ય સાથે કોઇનો સંપૂર્ણ દિવસ પણ સુધારી શકે છે.

બસ ઈશ્વરની આ દાંત રૂપિ ભેંટ નો ઉપયોગ કેવી રીતે ક્યારે કરવો તે માણસના વિચારો અને વૃત્તિ પર નિર્ભર કરે છે.🦚🦚

🦷Happy dentist day 🦷

Read More

🙏🙏દરેક વિચારે ખુદનું ના નથી, માણસ ખુદનું વિચારીને પણ ખુદ શાંતિથી જીવતો નથી.

આ માણસ નામનું રહ્યું જબરું પ્રાણી ખુદ તો જીવે નહીં ને અન્યને શાંતિથી જીવવા દેતો નથી.

///---///---///---///---///


એક જાનવર પાસે ખાવાનું અને પૈસા બન્ને મુક્યા, તેને ખાવાનું ખાઈ લીધું, પૈસા સામે જોયું પણ નહીં.

બસ આ જ બન્ને માણસ પાસે મુક્યા માણસે પૈસા લઈ લીધાં બાદમાં તેના જોરે ખાવાનું અને તે જાનવરો નો પણ જીવ લઈ લીધો.🦚🦚

🐐🦁 World wildlife day 🐅 🐈

Read More

🙏🙏એકલી ચાર આંગળી ભોજન નો કોળિયો પણ વ્યવસ્થિત કરી શકતી નથી કે આફત સમયે મુક્કો પણ મારી શકતી નથી.

વડીલ જેવા અંગુઠાનો સાથ મળે તો પેટ ભોજન પણ પામી શકે છે અને શરીર રક્ષણ પણ પામી શકે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏ક્યારેક 'જતું કરીને' જીતી જવાતું હોય તો 'પકડી રાખી પસ્તાવો કે પરાસ્ત થવું' મુર્ખામી ગણાશે.🦚🦚

- Parmar Mayur

🙏🙏જીવનમાં ધર્મ અને વિજ્ઞાન બન્નેના વિરોધી નહીં પરસ્પર એકબીજાનાં પુરક છે.

ધર્મ જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે તો વિજ્ઞાન જીવન ને સરળ બનાવવા માટેની રીતભાતો સાથે સુવિધાઓ આપે છે.🦚🦚

📡રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ🚩

- Parmar Mayur

Read More

હળવે હળવે આથમતો સાંજનો સુરજ જુઓને! કેવો સોહામણો અને સુંદર લાગે છે,

તેના તેજમાં રજભર ના આક્રોશ દેખાય ખરેખર સંધ્યા મિલન નો પ્રભાવ દેખાય છે.

- Parmar Mayur

Read More

🙏🙏અઘરાં પ્રશ્નો પણ સરળ બને છે, જ્યારે કલમ અને કાગળ સાથે આત્મવિશ્વાસ ભળે છે,

મહેનત નો રંગ છે, શ્રધ્ધાનો સંગ છે બસ પછી ખુશ રહો ઈશ્વરનો પરિક્ષામાં સાથ છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏આવતીકાલે દસમા ધોરણ અને બારમા ધોરણ ની બોર્ડની પરીક્ષાઓ ચાલું થઈ જશે.

આ પરિક્ષા એટલે દરેક વિધાર્થીનું એક સ્વપ્ન હોય છે કે તેને સારા ટકાએ પાસ કરીને પોતાનું સાથો સાથ પરિવારનું પણ ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

જ્યારે બોર્ડની પરિક્ષા આવવાની છે એટલે વ્યવહારિક છે કે દરેક વિધાર્થીને મનની અંદર એક અલગ જ પ્રકારની બેચેની અને ગભરાટ હશે! આ. બેચેની અને ગભરાટ જ મનમાં તણાવ ઉત્પન્ન કરે છે.આપણે આ જાણવા છતાં પણ આપણા મન પર તે છૂપા ભયનાં આક્રમણ ને અટકાવી શકતા નથી.

એક વાત અને વાસ્તવિકતા એ પણ છે કે આપણે આ દબાણ યુક્ત પળોમાં હાર માનવાની નથી, હાર એતો એક સરળ વિકલ્પ છે,હારને શરણં થવાથી તે ભવિષ્યમાં આપણે અફસોસ જ આપે છે. જ્યારે આપણે અફસોસ નહિ આપણા જીવનમાં ખુશીઓનું નિર્માણ કરવાનું છે માટે આપણે તે ભય કે ડર પર યોગ્ય વિચારો અને સમજણ દ્વારા નિયંત્રણ લાવી શકીએ છીએ.તેમજ પોતાનો આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરીને એક સકારાત્મક અભિગમ દ્વારા પરિક્ષામાંથી સફળતા પૂર્વક પાર ઉતરી શકીએ છે.

આપણે જાણીએ છીએ કે આપણી વર્ષભરની મહેનત આપણે પરિક્ષા ખંડમાં સાબિત કરવાની છે,જે તે વિધાર્થીઓ મહેનતુ છે જેમને પરિક્ષાલક્ષી તૈયારી કરી છે તે લોકોને પરિક્ષા ખંડ માં કોઈ ઝાઝી તકલીફ પડવાની નથી તેમ છતાં પરિક્ષા પૂર્વ તેમના મનમાં એક અજંપો રહેતો હોય છે કે પેપર કેવું હશે? પ્રશ્નો અઘરાં તો પુછાશે નહીં ને? હું નાપાસ તો થઈશ નહીં ને?

આવા તો અનેક પ્રશ્નો વિધાથીર્ઓ નાં સ્થિર મનને વિચલિત કરી દેતાં હોય છે પણ આવાં સમયે જે તે વિધાર્થીઓએ ધીરજ રાખીને, મનોમન એક જ ચિંતન કરવાનું હોય કે જે પુછાશે તે પુછાશે! જે તે વિષય અને પાઠ્યપુસ્તક અનુરૂપ જ પ્રશ્નોતરી હશે. મેં તે મુજબ તૈયારી કરી છે પછી મારે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી કેમકે હું નિરાશ થઈશ તો મને જે આવડતું હશે તે પણ ભુલી જઇશ, જેથી એક હળવો શ્વાસ લઈને મનને એકદમ હળવુંફૂલ બનાવી દેવાનું છે.

એટલું જ વિચારવાનું કે આ એક પરિક્ષા છે, યુદ્ધ નથી કે તેમાં જીવ જવાનો ખતરો કે ઈજા પામવાનો ભય હોય, આપણે એટલું જ વિચારવાનું કે એક પેપર આવે છે અને આપણે આપણી તૈયારીઓ મુજબ તેમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ આપવાનાં છે, આમ અચાનક ડરીને કે તણાવમાં આવીને જે આવડતું હોય તે પણ ભુલવાનુ નથી પરંતુ ઠંડા દિમાગથી યાદ રાખવાનું છે.

વિધાર્થી પરિક્ષા આપે છે તેમાં તેના શિક્ષક તેમજ તેનાં માતાપિતા તેમજ બીજા સ્નેહીજનો એ પણ તેને આવાં સમયે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ,તેની પરિક્ષાલક્ષી તૈયારીમાં તે હળવો ફૂલ રહે એ રીતે વાતાવરણ ઉભું કરવું જોઈએ.

વિધાર્થીને સમજણ આપવી જોઈએ, આવાં સમયે તેને કહેવું જોઈએ કે બેટા, તું જરાપણ ચિંતા ના કરીશ, તું યોગ્ય રીતે મહેનત કરે છે અને કરતાં રહે. તને સફળતા ચોક્કસ મળશે કદાચ ઓછાં ટકા આવશે તો પણ તું ગભરાઈશ નહીં અમે તારી સાથે જ છે. બસ આપણું આ વાક્ય જ તેનાં મનમાં સારા ટકા લાવવાની તાલાવેલી જગાડશે.તેને દિલથી દિલાસો આપો એ પછી તે સમજણથી આપોઆપ દિલથી મહેનત કરવા વળગી પડશે.🦚🦚

Read More

🙏🙏દરેક જીવમાં શિવ બિરાજમાન છે, બસ કલ્યાણકારી વિચારો સાથે જ શિવનું શરણ સુખદાયી અને પાવનકારી છે.🦚🦚

હરહર મહાદેવ

🚩મહાશિવરાત્રી ના પાવન પર્વની સર્વને શુભકામનાઓ 🚩

- Parmar Mayur

Read More

🙏🙏સાંજ થયે સુરજ થયો શાંત મન ત્યારે અશાંત થઈ કંઈક તો ઝંખે છે.

જે પાસે પણ પાસે નથી તો પણ તેનાં સ્મરણથી મન સમીપ થવા ઝંખે છે.🦚🦚

- Parmar Mayur

Read More