Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏અરે જુઓ! સફળતા સમયે 'પુષ્પો વેરવા' હાથ ઘણા ઉઠ્યા છે.
એ હાથ પણ ધ્યાને રાખો જે પંથ પર 'કંટક વિણવા' આવ્યા છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏ઈશ્વરનું સ્વરૂપ બાળક ને એમ જ કહ્યું નહીં હોય.

કેવું! મન મોહે તેવું તેનું ભોળપણ,
કેવી ચહેરાની નિર્દોષતા!

તેને ગુસ્સો આવે તો રડી લે કે પછી થોડું લડી લે.
પછી કશું જ મનમાં ભરી ના રાખે,

જરા પણ તેને વેરભાવ નહીં અને રાખવો શોભે પણ નહીં.
બાળકોનું હાસ્ય ખરેખર ઔષધીય ગુણોથી ભરપૂર હોય,

એકદમ નિર્મળ,

જેવા ભીંતર ભાવ ઉપજે તેવું જ બાહ્ય મુખ દ્વારા આલેખન.

બાળક બસ બાળક બનીને રહે છે તેની મસ્તીમાં મસ્ત દુનિયાની ખોટી દુનિયાદારી થી તેને કોઈ લેવાદેવા નહીં.

જો ઈશ્વર ખરેખર કંઈક માંગવાનું કહે,
તો હસતું બાળપણ માગું.🦚🦚

Read More

ઈશ્વરને ઈર્ષા,લોભ,કપટ કે કટુતા ક્યાં સ્પર્શ છે.
અરે! આ દુર્ગુણો બાળકો ને પણ ક્યાં સ્પર્શ છે!🦚🦚

👶🏻રાષ્ટ્રીય બાળ દિવસ 🧒

Read More

🙏🙏જીવમાત્ર પ્રત્યે "દયાભાવ" એ જ તો શાંતિનું સુત્ર છે.🦚🦚

🤝 world kindness day 🤝

સુર્યના કુમળા કિરણો
સંકોચાઈ ગયેલા પુષ્પો પર પડ્યા.

એક એક કરીને પાંદડીઓ
એકબીજાની આળસ મરડીને ખીલવા લાગી.

પોતાની પાંખોમાં પ્રાણ પુરીને પતંગિયાં પણ પુષ્પોનો પમરાટ પામવા ઉડવા લાગ્યા.

આ જોઈને,

નાસીપાસ થયેલ મનુષ્ય જીવને પ્રકૃતિની સત્યતા, ગતિ અને લય સમજાઈ જાય તો?

તે પણ આળસ ખંખેરીને જાગૃત થઈને,
પોતાના જીવનની અપૂર્ણતા ને સાર્થક કરવા,

સાચો પથ ક્યો છે?તે જાણીને
પોતાના પગને માર્ગ પર ચલાયમાન કરશે!

Read More

🙏🙏કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે પ્રથમ 'શાંત દિમાગ' બાદમાં 'ખુદ પરનો વિશ્વાસ' મહત્વનો ભાગ ભજવે છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏આપણું 'ખોટું કરનાર' વ્યક્તિ નું પણ કંઈક 'સારું કરીને' તેનાં આપણા પ્રત્યેનાં વિચારો બદલી શકાય છે.🦚🦚

- Parmar Mayur

Read More

જતું કરીને પણ ઘણું પ્રાપ્ત થઈ જાય છે.
બસ આ રીતથી દિલ ખુશ થઈ જાય છે.

- Parmar Mayur

🙏🙏ઘોર ધુમ્મસ, પડ્યા પાછાં ઝાકળનો પાણી કુદરત તારી લીલા લાગે મને નિરાલી.

તું સમજી ને કુદરત સાથે ડગ માંડે માણસ તો તેની દોસ્તી લાગે પ્યારી.🦚🦚

Read More

ક્યારેક હૈયું દ્રવી ઉઠે છે.
આવાં સમાચાર વાંચીને.

હિંસાની પણ પરાકાષ્ઠા આવી દર્દનાક હોય!

જે હાથથી મંગળસૂત્ર સ્નેહપૂર્વક બંધાયું હશે.
તે જ હાથથી તે જ ગળા પર જખ્મી ઘા થાય?

કેવી વિચિત્ર વિચારધારા કે પરિસ્થિતિ હશે ઘા કરનારની.

કોઈનો કદાચ દોષ હોય બની શકે.

ના નથી.

તેનો મતલબ બસ નિર્દય બની સાથે રહેનાર ને મૃત્યુ ની કલ્પના સુધી કોઈને પહોંચાડી દેવું.

આ તો કેવો પ્રેમ? અરે; રે, પ્રેમ નહી! આતો કેવી ધૃણા રહી.

અરે ધૃણા ની પણ એક પરાકાષ્ઠા હોય.

જીંદગીમાં કોઈ વ્યક્તિ, કાર્ય પસંદ નથી કે ઇરછા વિરુદ્ધ છે.

તો બેદખલ થઈ જાવ કે વ્યકિતને બેદખલ કરી દો.

બસ દૂર થઈ જાવ.

કે પછી સમાજથી બગાવત કરીને પણ કોઈ એવો નિર્ણય લેવો જોઈએ જેથી હિંસા ના થાય.

હિંસા જ ક્યારેક અક્ષમ્ય ગૂન્હો બની જતી હોય છે.
જેનો પસ્તાવો જીંદગીભર ડંખે છે.

જીંદગી છે દરેકને જીવવી હોય છે
મુકિત થી!

પ્રેમ મુકિત આપે છે અને તે મુકિત જ પછી ખુશી થી બંધન સ્વીકારે છે.મારા વિચારો અનુસાર.

Read More