Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


🙏🙏તું ચાંદ ખરેખર પ્રેમી જેવો જ છે.
એકદમ ધર્મ નિરપેક્ષ.

હા,પ્રેમમાં પડેલ વ્યકિતને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી હોતી બસ તે વ્યક્તિ સાથે જ હોય છે.

જો પ્રેમનું બંધન હોય તો!

આ ચાંદ પણ તેવો જ છે.
કોઈને હદયથી બંદગી કરવી હોય તો તે ઇદનો ચાંદ બની દેખાઈ આવે છે.

કોઈને કડવા ચોથનું વ્રત તેની સાક્ષીએ કરવું છે તો પણ દ્રશ્ય માન થઈ જાય છે.

તે કદી હિન્દુ મુસ્લિમ કરતો નથી.
અરે, તે 'ચાંદ' છે થોડો 'રાજનેતા' છે.

ચાંદ તો ચાંદ છે શ્વેત તો પણ કોઈને તેના એકાદ બે કાળા દાગ વિશે બોલવામાં આત્મસંતોષ થાય છે.

હશે જેનો જેવો વિચાર બસ મને તો ચાંદ ધર્મ નિરપેક્ષ દેખાયો છે.🦚🦚

Read More

🙏🙏પોતાનો જ 'ધર્મ શ્રેષ્ઠ' છે તે માણવું યોગ્ય છે પરંતુ પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે તે કોઈને જબરજસ્તી મનાવવું 'પાગલપન' છે.🦚🦚

🧠World mental health day💕

Read More

🙏🙏વોટ્સએપ પર 'ટાઇપ' થતાં શબ્દો કરતાં "કાગળ" પર લખાયેલા શબ્દોમાં સંવેદના અને લાગણી વધુ અનુભવાતી હતી.🦚🦚

🗓️World post day 📫

Read More

MB ઈમેજ ના બતાવીને તેની ઈમેજ ડાઉન કરી રહી છે.😊😊😊

🙏🙏અરે દિલ ને પણ પીડા થાય છે.
તને ખબર ક્યારે થાય છે??

કહું ક્યારે થાય છે.
એક જ છત નીચે બે અલગ વિચારો સાથે રહેતા હોય.
સાથે રહેતા હોય પણ સાથે ના રહેતા હોય.
ત્યારે હૈયે ખુબજ પીડા થાય છે.

દશ્ય નહીં પરંતુ અદશ્ય અસહ્ય વેદના, નિસાસા અને તડપ.

થોડી સમજણશક્તિ નો ફેર પડે.
બસ ઘણું જ સાથે રહીને અલગ કરી દેતા હોય છે.

એક અદશ્ય ખાડીનું સર્જન જેમાં લાગણીઓ ધીમે ધીમે પડીને મૃત્યુ પામી રહી હોય છે.

બસ સમજું માણસના ભાગે જ વેદના વધારે આવી જતી હોય છે.🦚🦚

Read More

અરે ઓ પાગલ,
આપણી
મુલાકાત થશે???

શું તેની
સાક્ષી કડક મીઠી
ચા થશે?

જો ચા સાક્ષી થશે.
સંબંધમાં મીઠાશ વધશે.
ચાહ હશે તો!

ચાના કપમાંથી
ગરમ વરાળ ઉડશે.
વ્યોમ ભણી.

શ્વાસમાં
તેની સુગંધ ભળશે,
એલચીના સ્વાદ જેવી.

ખરેખર, હૃદયને
તરોતાજા કરી દેશે.
તાજી ચા શ્વાસને.

જો હશે ચાહ હૈયેથી,
તો મુલાકાત થશે,
બે કપ ચાથી જ થશે.

Read More

🙏🙏 જ્યારે શિક્ષક માતા બની ભણાવે છે,થોડી હળવી ટપલી મારી માટલા ની માફક ઘડે છે.

તે ઘડાયેલું વ્યક્તિ પોતાના વ્યક્તિત્વથી જીંદગીમાં ક્યાં કદી પાછું પડે છે.🦚🦚

👨‍🏫World teacher day 👨‍🏫

Read More

🙏🙏સાંજે મેદાનમાં ટોળું ભેગું થયું હતું, જોરશોરથી રાવણને બાળવા માટે!

બસ મુખ્ય મહેમાન તરીકે નેતાજીની રાહ જોવાતી હતી.
જે રાવણનું દહન કરવાનાં હતાં.

નેતાજી આવ્યા સ્ટેજ પર ચડ્યા ત્યાં જ ટોળામાંથી બે મહિલાઓ પરસ્પર વાત કરવા લાગી.

અરે આની પર તો બે બે બળાત્કાર અને મારઝૂડ નાં કેસ ચાલે છે.

.નેતાજીએ હાથમાં ધનુષ્ય લઈને સળગતું તીર રાવણના પુતળા તરફ માર્યું.

બસ બધા પુતળા નો રાવણ સળગી ગયો તેની ખુશી મનાવવા લાગ્યા, પુતળાનો રાવણ હો,,,!! અલવિદા.🦚🦚

Read More

દશેરા....,

રાવણ વધનું પર્વ. અધર્મ પર ધર્મનો વિજય.

સતયુગમાં પણ અધર્મ હતો.
આ રહ્યો ઘોર કળિયુગ અધર્મ હશે તો કોઈ આશ્ચર્ય થવું જોઈએ ?

બિલકુલ નહીં.

હા એટલું ચોક્કસ કહી શકાય કે સતયુગના રાવણને કળિયુગી માણસોને અગ્નિદાહ આપવાનો કોઈ હક નથી.

અગ્નિદાહ કહ્યું બાળવાનો તો જરા પણ હક ના હોવો જોઈએ.

બાળવું અને અગ્નિદાહ શબ્દો ઘણું સુચવી જાય છે.

હું અંગત રીતે તો કદી રાવણને 'બાળવાનો' સમર્થક ના બનું.

મારા થોડા મનોમન અંગત તર્ક સાથે સહમત થઈને કહું છું.

હા તેમનાં મૃત્યુની યાદમાં તેમનાં શબના પ્રતિકને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને અગ્નિદાહ ચોક્કસ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ભગવાન રામે રાવણને વીરગતિ આપી હતી. રામ ઈશ્વર રહ્યા દશેરાના દિવસે રાવણને સન્માનપૂર્વક અગ્નિદાહ આપ્યા હશે કે આપવા કહ્યું હશે.

મારું અંગત મંતવ્ય રહ્યું.

કેમકે રાવણ ભલે રાક્ષસ વંશમાં રહ્યા પણ તે રહ્યા હતાં બ્રાહ્મણ પુત્ર!

અરે, યુદ્ધમેદાનમાં મૃત્યુની અંતિમ ક્ષણો ગણતાં રાવણ સમીપે ધર્મ, રાજ્ય વ્યવસ્થા વગેરેનું જ્ઞાન લેવા પોતાના ભાઈ લક્ષ્મણને રામ પોતે જ મોકલે છે.

હવે પોતાના વિવેક થી વિચારો.


બ્રાહ્મણ પુત્રનું મૃત્યુ બાદ શ્રી રામ તેમના શબને ખોટી રીતે બાળે?

કદી નહીં પરંતુ સન્માનપૂર્વક અગ્નિદાહ જ આપે ક્ષત્રિય ધર્મ નિભાવે.

રાવણ તે સન્માનને લાયક હતા જ.

તેમાં જરા પણ શંકા નથી અને રહેશે પણ નહીં.

રાવણમાં અઢળક ગુણો હતા તે જ્ઞાની, પરમ શિવભક્ત, પરાક્રમી, બળવાન,ચાર વેદોનો જ્ઞાતા સાથે જ પરિવાર પ્રિય.

તેની સામે તેમનો એક દુર્ગુણ હતો જે તેમનાં બધાં જ ગુણો પર અને તેમનાં મૃત્યુનું કારણ બન્યો.

અહંકાર.

બસ આ એક અધર્મી દુર્ગુણે રાવણના ધર્મ લક્ષી ગુણોનું હનન કરી નાખ્યું.

જે હશે તે પરંતુ આજે રાવણને જે રીતે બાળવામાં આવે છે તે કદી યોગ્ય કદી નથી.

એક પારકી સ્ત્રીનું તેની મરજી વિના હરણ કરવું રાવણનો અક્ષમ્ય ગુનો છે.

એ જ હરણ કરીને લાવેલી સ્ત્રી સીતાને તેની મરજી વિરુદ્ધ સ્પર્શ ના કરવો તેનું 'જ્ઞાન અને ડાહપણ' છે.

કોઈ કહેશે કે જો રાવણ સીતાને સ્પર્શ કરતાં તો તેનું મૃત્યુ થતું આ તર્ક ગળે ઓછો ઉતરશે.

કેમકે પુષ્પક વિમાનમાં હસ્ત પકડીને જ સીતાને બેસાડ્યા હશે.

શાસ્ત્રોમાં પણ આ પ્રમાણે લખ્યું નથી કદાચ એ મુજબ હોત તો પણ રાવણ સીતાને અશોકવાટિકામાં માનસન્માન સાથે ના રાખતો પોતાના શયનખંડમાં બંધક બનાવીને આંખો સમક્ષ રાખતા.

રાવણ નાં મૃત્યુનું કારણ બસ ફક્ત તેમનો અહંકાર હતો. જે તે સમયે સર્વસમર્થ હોવાથી જન્મ્યો હશે.

જેની પાસે હદથી વધું આવી જાય છે ત્યારે અહંકાર જન્મે જ છે પછી આતો રાવણ હતો સુવર્ણ લંકાનો સ્વામી.

યુદ્ધના મેદાન પર પણ એક વીરને શોભે તે રીતે યુદ્ધ કર્યું.

કપટથી નહીં.

નહીં તો એ અયોધ્યા પર પણ આક્રમણ કરતા.

ત્યાંની પ્રજાને પ્રતાડિત કરીને રામને પાછા જવા માટે વિવશ કરતા.

પોતાની માયાથી સમૃદ્ધ સેતુ બનાવામાં વારંવાર અડચણો નાંખતા.

મારા માણ્યા અને જાણ્યા સુધી એવું કંઈ કર્યું નથી બસ શત્રુને શોભે તે રીતે યુદ્ધભૂમિ પર યુદ્ધ કર્યું.

અંતે હરિ હાથે મૃત્યુ અરે મૃત્યુ નહીં મોક્ષ પ્રાપ્ત કર્યા.

આપણે બસ થોડા આપણા અજ્ઞાન થી રાવણને બાળવા નીકળ્યા છે.

જરા વિચારવા રહ્યું કે જેને મારવા રામને નીકળવું પડે તે વ્યકિતમાં કંઇક તો માણસ કરતાં વધુ ક્ષમતા હશે.

Read More

🙏🙏કંઈક તો હશે તે સુકલકડી ડોશાના વ્યકિતત્વમાં કરિશ્મા.

નહીં તો તેમનાં વિચારોનાં વિરોધીઓ પણ રાજઘાટ પર ફૂલ ચડાવે નહીં.🦚🦚

- Parmar Mayur

Read More