Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


જ્યારે મૌન રહીને શબ્દોને હૈયે અજંપો થાય છે.
બસ પછી ગઝલનું કાગળ પર આલેખન થાય છે.

- Parmar Mayur

અહમ્ થી લખવું અને અહેસાસથી લખવું ઘણો તફાવત હોય.

અહમ્ માં ફક્ત 'હું' હોય અને અહેસાસ માં 'તું' અને 'હું' હોય.

- Parmar Mayur

Read More

🙏🙏 આજે માંઘા 'પિઝ્ઝા ખાઈને' પણ સતત ડિપ્રેશન માં રહેતી પેઢી

જેની સામે પાંચ પૈસાની 'મોસંબી ની ગોળી' ખાઈને જીવેલી પેઢી,

ખરાં અર્થમાં "આનંદ અને તૃપ્તિની" સાચી વ્યાખ્યા શું થાય તે સમજાવી જાય છે.🦚🦚

🍭🍭National candy day 🍬🍬

Read More

🙏🙏ઘરનું રસોડું સંભાળતી "સ્ત્રી" સાથોસાથ દ્ઢ નિશ્ચય અને મહેનતના દમ પર 'વર્લ્ડકપની ટ્રોફી' (સફળતા)પણ પ્રાપ્ત કરી શકે છે.🦚🦚

🤵‍♀️National House wife day 🤵‍♀️

Read More

🙏🙏તું કટાણે આમ વારંવાર આવે શોભે નહીં તને બાપ મેહુલિયા.

દયા રાખજે મુંગા પશુની, શાંત થાજે! એ ક્યાં જાશે બાપ મેહુલિયા.🦚🦚

Read More

🙏🙏નિણર્ય.

એક નાનો શબ્દ છે પરંતુ ઘણુંબધું બદલી કાઢવા સક્ષમ છે.

એક નાનો નિણર્ય વર્તમાન થી લઈને ભવિષ્ય બદલી કાઢે છે,
ઇતિહાસ સાથે જે તે દેશની કે પ્રદેશની ભૂગોળ ને પણ બદલી કાઢવાની ક્ષમતા છે.

અરે, એક થઈને એક નિર્ણયથી સત્તા અને શાસક ને લોકશાહીમાં બદલી કાઢે છે.

બસ આ રહી નિર્ણયશક્તિ ની તાકાત!!

જે વ્યકિતમાં કોઇપણ પરિસ્થિતિમાં યથાયોગ્ય નિણર્ય લેવાની શક્તિ છે.

તે વ્યક્તિ એક યોગ્ય નિર્ણય દ્વારા ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરીને પોતાને યોગ્ય સ્થિતિનું નિર્માણ કરે છે.

જેનામાં નીડરતા અને વિવેક સાથે નિણર્ય લેવાની આવડત છે, તે જ સાચો 'સરદાર' બની શકે છે.

જો યથાયોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો તેના પરિણામ ત્વરિત કે લાંબાગાળે પણ લાભદાયક રીતે પ્રાપ્ત થાય છે.

જેમ કે વલ્લભભાઈ પટેલે સમય અનુસાર હૈદરાબાદ,જૂનાગઢ પર લશ્કરી પગલાં લઈને પણ નવાબ અને રઝાકારો ને હરાવી હૈદરાબાદ, જૂનાગઢ ને ભારતમાં ભેળવી લીધું.

જ્યારે તેવાં જ નિર્ણયો જો યોગ્ય રીતે લેવામાં ના આવે તો તેના પણ દુષ્પરિણામો લાંબાગાળા સુધી ભોગવવા પડે છે.

જેમકે જમ્મુ કાશ્મીરનો નિર્ણય જે તે સમયે યોગ્ય રીતે લેવામાં ના આવ્યો તો હજું પણ ત્યાં ફેલાઈ રહેલા આતંકવાદથી સંપુર્ણ દેશ હેરાન થાય છે.

આજ રીતે જીંદગીમાં પણ ઘણા જ નિર્ણયો જો યોગ્ય સમયે લેવામાં ના આવે તો વળતર રૂપે અફસોસ, નિરાશા કે નુકસાન મળે છે.

જીંદગીમાં જ્યારે ખુદનો પ્રશ્ન હોય!
શું નિર્ણય લેવો?
તેનું કોઈનાથી માર્ગદર્શન ના મળતું હોય,
ત્યારે ખુદની જાતને ખુદાની સાક્ષીએ રાખીને પુછો ચોક્કસ શું નિર્ણય લેવો તે ખુદનું મન જણાવશે.🦚🦚

🤝સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે તેમને નમન અને આ લેખ સમર્પિત 🤝

Read More

🙏🙏પોતાના લોકોને 'એક કરીને' તેમના માટે શું સારું? અને શું ખરાબ છે? તેનો યોગ્ય નિર્ણય કરનાર 'સરદાર' (લીડર) બની શકે છે.🦚🦚

🤝National unity day ✊

Read More

કોઈની લાગણીને સમજવી ખોટી છે?

મારા મતે તો જરાય નહીં.
જો આપણી ભાવના સકારાત્મક હોય તો.

લાગણીઓ કેટલાંયે સ્વરૂપે અંતરમનમાં રહી.

તેમાં ખુશી અને દર્દ મુખ્ય બે ભાવ છે.

કોઈનું સુખદુઃખ કે કોઈની ના વ્યક્ત થયેલી ભાવનાઓને સમજવી ક્યાં ખોટી છે.

કોઈ તેના મનનો ભરાઇ રહેલો ડૂમો તે વ્યક્તિ સમક્ષ ક્યારે વ્યક્ત કરે છે?

જ્યારે કોઈ સમજનાર કે સાંભળનાર ના હોય તેવા સમયે કોઈ એવી વ્યકિતનું આવવું જેનાં પર તેને વિશ્વાસ પેદા થાય.



આ વિશ્વાસ થી જ જે-તે વ્યક્તિ પોતાની ભાવનાઓને વ્યક્ત કરે છે.

બસ ફક્ત એક જ અપેક્ષા થી!

તેને જે વ્યક્તિ પ્રત્યે પોતાનાં વિચારો કે લાગણીઓ વ્યક્ત કરી છે તે તેને સમજશે.

તે તેના ખોવાઈ ગયેલા માર્ગની દીવાદાંડી બનશે.

આવા સમયે તે વ્યક્તિ ની લાગણીઓને એક યોગ્ય માન આપીને સમજવી કદી ખોટી ના હોય શકે!

લાગણીઓ ને દર્શાવનાર નો વિશ્વાસ કરતા સમજનારની ઈમાનદારી વધું મહત્વની હોય છે.

Read More

🙏🙏જે 'મુશ્કેલીના સમયમાં' કામ આવી જાય બસ તે સાચી બચતમાં સ્થાન પામી જાય છે.

મિત્રો હોય,પૈસો હોય કે હોય સંબંધી કામ આવે જરૂર પડે ત્યારે 'બચત શું કરી' તે સમજાઇ જાય છે.🦚🦚

👬World savings day🪙💸

Read More

ઋણાનુબંધ.

એક નાનો શબ્દ પરંતુ તેનું અર્થઘટન ઘણા જ અજંપાઓનું સમાધાન આપે છે.

આપણી જીંદગીમાં આવતો કોઈપણ સંબંધ 'ઋણાનુબંધ' ને આભારી છે.

આપણું રક્ત થી કે સ્નેહથી થયેલું કોઈ જોડાણ એમ જ થતું હોતું નથી. તેનો કોઈ એક ચોક્કસ 'કાર્મિક સંબંધ' હોય છે.

કર્મથી નિયતિને રચનાર કોઈ સમર્થ શક્તિએ તેનું પૂર્વથી જ બંધન સ્થાપિત કરી દીધું હોય છે.

કોઈ વ્યક્તિ પ્રત્યે કુમળી લાગણીઓનો જન્મ થવો કે અનુભવી, તેનાં પ્રેમમાં પડવું, ખુશી પ્રાપ્ત કરવી કે કોઈને સુખ આપવું, કષ્ટ કે પીડા ખુદ પામવી કે પછી કોઈને દર્દ આપવામાં ખુદ નિમિત્ત પણ બનવું.

આ બધું એમ જ થતું હોતું નથી તે 'ઋણાનુબંધ' ને આભારી છે

ઋણાનુબંધ એટલે 'ઋણ નું અનુબંધ' કરવું ચુકવણું કે પ્રાપ્ત કરવું મારા મતે.

આપણાં સંબંધોમાં આવતી વ્યક્તિ પણ આપણાં કર્મના 'ઋણાનુબંધ' ને જ આભારી છે.

જો કર્મનો સિદ્ધાંત માણીએ તો આ 'જન્મ કે પૂર્વજન્મને' કારણે સાયુજ્ય રચાયું હોય છે.

આપણા જીવનમાં આવેલી કોઈ વ્યક્તિ 'દૂર' થાય છે કે પછી તેનાથી સંબંધો 'વિચ્છેદ' થાય છે ત્યારે આપણે દુઃખી થઈએ છે પરંતુ ક્યારેક તે આપણી મરજી મુજબ નથી થતું હોતું પરંતુ તેનું ઋણાનુબંધ અહિયાં સમાપ્ત થતું હોય છે.

તેની ભૂમિકાનું બંધન અહિયાં સુધી જ નિયતિ એ સ્થાપિત કરેલું હોય છે પછી તે મુકિત પામે છે ઋણાનુબંધ થી કેમ કે પહેલાથી જ લખાઈ ગયેલું છે.

તે સંબંધો સમાપ્ત થતાં નથી હોતાં પરંતુ તેનું ઋણાનુબંધ આપોઆપ તે મુજબની સ્થિતિ નું સર્જન કરી મુક્તિ આપતું હોય છે.

જીંદગીમાં ક્યારેક પામવાની ખુશીને હદયથી માણી શકીએ છે તો ખોવાની તૈયારી પણ હદયથી સ્વીકારવી જોઈએ.

બાકી તો કર્મ અને નિયતિની રચના અનુસાર જ ઋણાનુબંધ રચાતું હોય છે.

Read More