આજે ખરેખર તો માણસ ને અંદર થી વધવા ની જરૂર છે .અને જેટલી ઠોકરો ખાઈ ને માણસ પડે છે એટલો જ એ હંમેશા અંદર થી વધતો હોય છે. આવી વ્યક્તિ આપણી આસપસ પણ હોય છે જે આવી ઠોકરો ખાઈ ને વધતી હોય છે.
વધવું એ એક નિરંતર પ્રક્રિયા છે. અને એ દરેક વ્યક્તિ ના વિચારો પર નિર્ભર છે કેવી રીતે વધે છે કઈ દિશા માં વધે છે વધવા માટે સૌથી પેલા તેની તેમાં લાગણીઓ ની પવિત્રતા જરૂરી છે એજ નક્કી કરે છે કે આપણે દ્વેષ સાથે આગળ વધી રહ્યા છીએ કે પ્રેમ સાથે........માત્ર વધવું ન જોઈએ વધવું એવી રીતે કે તમે આગળ જતાં પૂરા ખીલી સકો તમારું વ્યક્તિત્વ ખીલવું જોઈએ અને એની સુગંધ વધતી રેવી જોઈએ ............. @ વંદના ખત્રી
#વધવું