પૂજ્ય મોરારીબાપુએ આજની વૈશ્વિક આપત્તિનાં સંદર્ભમાં એક નાનકડી કથા કહી.
- એક સાધક પોતાના ગુરૂની પાસે સાધના માટે જાય છે. સાધનાના પ્રારંભે ગુરુએ તેને એક કૂવામાં ઉતાર્યો. પહેલા દિવસે ગુરુ એને નિસરણી આપી અને કૂવામાંથી ઉપર આવવા કહ્યું. એક મહિના સુધી આ રીતે સાધના ચાલતી રહી. બીજા મહિને ગુરુએ નિસરણીને બદલે ગાંઠો વાળી રસ્સી આપી.એક મહિના સુધી એ રસ્સી દ્વારા સાધક કૂવામાંથી બહાર નીકળ્યો. ત્રીજા મહિને ગુરુએ ગાંઠ વિનાની રસ્સી દ્વારા આ અનુષ્ઠાન કરાવ્યું.અને ચોથા મહિને કોઈપણ સાધન વિના, માત્ર પોતાના હાથ અને પગનો ઉપયોગ કરીને જ કૂવામાંથી બહાર આવવાનો સ્વાધ્યાય કરાવ્યો.
સાધનાના આ ક્રમમાં સાધક સફળ થયો. ગુરુ અતિ પ્રસન્ન થયા. અને પછી ફરી એકવાર ગુરુએ એને કૂવામાં ઉતારવાનું કહ્યું ત્યારે શિષ્યે કહ્યું કે "હવે કોઈ કૂવો જ બચ્યો નથી."
પૂજ્ય બાપુએ કહ્યું કે - "આપણે પણ આવા જ સંયમ અને સ્વાધ્યાયથી અનુષ્ઠાન કરશું, તો વિપત્તિ રૂપી કુવો જણાશે જ નહીં! આપણે નીજથી નિખિલ સુધી, પીંડથી બ્રહ્માંડ સુધી, આ મહામારી માંથી બહાર આવીએ.
પ્રસન્ન રહો, સાવધાન રહો અને મુસ્કુરાઓ, કારણ કે આપણે હિન્દુસ્તાનમાં છીએ!!
સર્વે ભવન્તુ સુખિનઃ
સર્વે સંતુ નિરામયા🙏
હરિ કથા સત્સંગ
ચૈત્રી નવરાત્રિ દિવસ -૧.
સંકલન : મનોજ જોશી. મહુવા.