Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jyotish Measure Of Remove Rahudosh

શારીરિક અને માનસિક કારણો તમને પયમાલ કરે તે પહેલા કરજો આ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનસિક બિમારી અને મુશ્કેલીઓ માટે મોટેભાગે રાહુ જવાબદાર છે અને શારીરિક રોગો અને તેની નબળાઈ માટે મહદઅંશે શનિની અસર જોવામાં આવે છે. આ બન્ને નબળા હોય તો શક્ય છે કે વ્યક્તિ શારીરિક અના માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે રીતે આ બન્ને ગ્રહો શારીરિક અને માનસિક અસર કરે છે તેમ આ બન્ને પર જાતકની આર્થિક બાબતો પણ નિર્ભર છે.

રાહુના કોઈપણ દોષ માટે ઉકેલ રૂપ છે શંભૂનું શરણ લેવું. એ જ રીતે શનિની મુશ્કેલીમાંથી બજરંબલી ઉગારે છે. આ બન્નેના ઉપાયો કરવાથી અને તે ગ્રહોના મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ત્રણ મહત્વની બાબતોમાં સશક્ત રહે છે અને વૃદ્ધિ થતી રહે છે.

જ્યોતિષ આ ત્રણ સંકટોમાંથી ઉગરવા માટે આ બન્ને ગ્રહોના મંત્ર અને બન્ને દેવોની પૂજા -

- રાહુનો મંત્ર - ऊं रां राहवे नम:। બોલો.

- શુદ્ધ જળથી સ્નાન કરાવો, પંચોપચાર પૂજા કરો.

- રાહુને પ્રિય સામગ્રી અર્પણ કરો. રાહુની પ્રસન્નતા માટે તેલની મિઠાઈનો ભોગ અને તેલનો દિવો કરી આરાધના કરો.

- આ રાહુ મંત્ર સોમવારે બોલવાથી ખરાબ વિચારો, માનસિક સમસ્યાઓ અને તણાવ જેવી સમસ્યાઓથી છુટકારો મળી જશે.
શિવજી -

- સોમવારે શિવપૂજા પાર્થિવલિંગ બનાવીને કરવામાં આવે તો સારું ફળ આપે છે.

- શિવલિંગને ગંગાજળથી સ્નાન કરાવી, ચંદન, ફૂલ અર્પણ કરી, પંચાક્ષરી મંત્ર કે નીચે લખેલ મંત્ર બોલો -

- ऊँ शर्वाय क्षितिमूर्तये नम:।

- ऊँ भवाय जलमूर्तये नम:।

- ऊँ रुद्राय अग्रिमूर्तये नम:।

- ऊँ उग्राय वायुमूर्तये नम:।

- ऊँ भीमाय आकाशमूर्तये नम:।

- જો પાર્થિવલિંગની પૂજા કરવી હોય તો તેનું સ્થાપન બ્રહ્મણ પાસે કરાવું વધારે યોગ્ય રહે છે.

- શિવજીની પૂજા રાહુના દોષમાંથી મુક્તિ અપાવે છે.

શનિ -

- શનિવારે શનિદેવને પણ ચંદન-ફૂલ ઉપરાંત તલ તથા કાળા અડદ ચઢાવો.

- સરસવ કે તલના તેલનો દીવો કરો, દીવો કરતા સમયે આ મંત્ર બોલો

– साज्यं च वर्तिसं युक्त वह्निना योजितं मया।
दीपं गृहाण देवेशास्त्रैलौक्यतिमिरापहम्।।

- દીવો કર્યા પછી આ શનિમંત્રનું યથાશક્તિ જપ કરો

- नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं।
छायामार्तण्ड सम्भूतं तं नमामि शनिश्चरं।।

હનુમાનજી -

- લાલ આસન પર બેઠી શ્રી હનુમાનપૂજા કરો.

- પૂજામાં સિંદૂર, ચોખા, ફૂલ ચઢાવો.

- દક્ષિણ દિશામાં મુખ રાખી રૂદ્રાક્ષની માળાથી શ્રી હનુમાન મંત્રનું યથા શક્તિ જાપ કરો.

- ऊं नमो भगवते आन्जनेयाय महा बलाय स्वाहा।

- હનુમાનજીની પૂજા શનિના દોષમાંથી મુક્તિ અપાવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111370853
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now