રોજ સવારે ઊઠીને તમે ભગવાન આગળ હાથ જોડીને બેઠા હો ત્યારે એની પાસે શું માંગો છો?
દરેકની કોઈ ને કોઈ ઈચ્છા હોય, એના સમય અને સંજોગ મુજબ. મારી પ્રાર્થના તો વરસોથી એની એ જ રહી છે... અને જીદ પણ એની એ જ... એ પૂરી થશે કે નહીં એ સવાલ મેં ક્યારેય એને પૂછ્યો નથી, બસ એક વિશ્વાસ છે એની ઉપર, એ જે કરશે એ જ બેસ્ટ હશે! ક્યારેક એમ થાય કે બહુ વાર થઈ ગઈ... આખી જિંદગી એ એક પળ ના મળી જેના માટે જિંદગી ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય... ત્યારે આંખમાંથી બે આંસુ વહી જાય છે અને પછી મારા કાનુડા સામે જોતા જ એવું લાગે જાણે એ હસી રહ્યો છે, મને કહી રહ્યો છે,
“બસ, આટલો જ મારો ભરોશો!"
અને હું હસી પડું છું... એમ તે મારો વિશ્વાસ તૂટે? હજી લંબાવ જિંદગીને તારી મરજી હોય એટલી પણ યાદ રાખજે જો મને મારા જીવનની એ બેસ્ટ પળ ના મળી ને તો... તો...! ફરી બે આંસુ વહી જાય અને હું બીજા કામમાં મન પરોવી લઉં છું! ક્યાંકથી અચાનક કોઈ વખત સાંભળેલી પંક્તિઓ યાદ આવી જાય છે..,
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?