વાસ્તુ મુજબ કઈ દિશામાં બેસવું: પૂર્વ તરફ મુખ રાખીને બેસનાર વ્યક્તિની અપેક્ષાઓ ઓછી રહે છે
વાસ્તુને લઈને એક સવાલ વારંવાર પુછાય છે કે કામ કરતી વખતે કઈ દિશામાં બેસવું? આમ તો દરેક અગત્યના કામ માટે આના જવાબ અલગ અલગ હોઈ શકે છે. પણ બેસવાની દિશાથી વ્યક્તિના સ્વભાવ પર આની શું અસર પડે તે જણાવી રહ્યા છે અમારા વાસ્તુ એક્સપર્ટ મયંકભાઈ રાવલ.
>> પૂર્વ તરફ મુખ રાખીને બેસનાર વ્યક્તિની અપેક્ષાઓ ઓછી રહે છે.
>> પશ્ચિમ તરફ મુખ રાખીને બેસનારને કામમાં સંતોષ ઓછો રહે છે.
>> દક્ષિણ તરફ મુખ રાખીને બેસનારને ગુસ્સો વધારે આવે છે,
>> ઉત્તર તરફ મુખ રાખીને બેસનારની અપેક્ષાઓ વધારે રહે છે.
>> નૈરુત્ય તરફ મુખ રાખનારના સ્વભાવમાં ઉગ્રતા આવે છે.
>> અગ્નિ તરફ મુખ રાખનારનો સ્વભાવ વધારે પડતી ચીવટ રાખવાવાળો બને છે.
>> ઇશાન તરફ મુખ રાખનાર લાગણી પ્રધાન બની શકે છે.
>> વાયવ્ય તરફ મુખ રાખનારને વિચારો વધારે આવે છે
>> જેની બેસવાની જગ્યા સ્થિર નથી તેની ઉર્જા એક સરખી ન રહેતા, તેનો આત્મવિશ્વાસ ઘટે છે અથવા આવી વ્યક્તિ ભરોસાપાત્ર નથી રહેતી.
તેથી જ એકજ જગ્યાએ બેસી ને કાર્ય કરવાને ભારતીય શાસ્ત્રમાં મહત્વ અપાયું છે.