પ્રેમનો નશો એવો તે કેવો કે, જેને થાય એને જ ન હોય ખબર કે,
એ કેટલો નશામાં ચકનાચૂર છે,
પ્રમનો તે એવો જ હોય છે નશો કે,
ચઢતાં પણ વાર નહીં અને ઉતરતા પણ વાર નહીં,
માણસને જ્યારે ચઢે પ્રેમનો નશો ત્યારે એ બેફામ લાગે અને જ્યારે ઉતરે નશો તો લાગે માણસ વેરવિખેર,
બધી વસ્તુનો નશો માપમાં સારો લાગે,એમ પ્રેમ પણ જો હદમાં થાય તો જ સારું,
પ્રેમની પરિભાષા એવી અઘરી કે,
જેને થાય પ્રેમ તે જ કહી શકે પરિભાષા પ્રેમની,
પ્રેમ તો કંઈ ખાડો નથી કે માણસ એમાં પડે,
પ્રેમ તો એક ભાવના છે, છે એક લાગણી,
માટે જ આપણે કહીએ છીએ કે થયો આપણને પ્રેમ,
આ પ્રેમ પણ કેવો અદભૂત દરિયો છે,જે એમાં તરે ત્યારે સુનહરી અક્ષરોમાં કવિતા વર્ણવતો હોય છે,
અને ડૂબે ત્યારે પણ કવિતાઓ જ શોધાતી હોય છે,
હોય જ્યારે પ્રેમના નશામાં માણસ ત્યારે એને અંધકારમાં પણ અજવાળું હોય છે લાગતું,
અને એ જ નશો ઉતર્યા બાદ એને અજવાળામાં અંધારપ અને અધૂરપ છવાઈ જતી હોય છે,
પ્રેમમાં માણસને સર્વસ્વ વહાલું લાગતું હોય છે,
ગમતી વ્યક્તિમાં પણ ન ગમતી વસ્તુઓ ગમવા લાગતી હોય છે,
માટે જ 'પ્રેમઝંકીત'એ પ્રેમને દવાનું નામ આપ્યું,
દવાનું પણ કંઈક આવું જ હોય છે ને કામ,
ન લેવી ગમતી હોય છતાં રોગને દૂર કરવા લઈએ છીએ આપણે એ દવા,
પ્રેમ એક રોગ છે, એક આદત છે, છે એક દવા,
અને દરેક બિમારીની દવા પ્રેમ જ હોય છે,
આથી જ કહ્યું 'પ્રેમઝંકીત'એ કે કરી તો જો એકવાર તું પ્રેમ,
બધી જ મુશ્કેલીઓ આપમેળે ન ઉકલી જાય તો કહેજે મને!