*"શું છલકાશે ?"*
આપણા હાથમાં ગરમ દૂધનો છલોછલ મલાઈ મઢેલો કપ હોય અને પીવાની તૈયારી
કરતા જ હોઈએ ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા
કપમાંથી ચારે તરફ દૂધ ઢોળાય જાય.
બરાબર આવું જ થાય. શા માટે દૂધ ઢોળાય?
તમે જવાબ આપશો
અરે કોઈ પાછળથી ધક્કો મારે તો દૂધ ઢોળાય જ ને ?
ના,
આ જવાબ પૂરો સાચો નથી. તમારા હાથમાંના કપમાંથી દૂધ ઢોળાય,
કારણ કે કપ દૂધથી ભરેલો હતો.
જો કપ ચાથી ભરેલો હોત તો... ચા ઢોળાત !
જે કપની અંદર હોય એ છલકાયને બહાર આવી જાય...
આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.
સંદેશ એ છે કે
આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ.
જ્યારે જીવનમાં આપણને સમય-સંજોગ પ્રમાણે ધક્કો લાગે ત્યારે આપણી અંદર જે
હોય એ બહાર છલકાય છે.
*જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે ન ગમતું બને,ધક્કો વાગે ત્યારે હકીકતમાં અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.*
*આપણે આપણી જાતને પૂછવાનું છે કે*
જિંદગીમાં ધક્કો વાગે ત્યારે શું છલકાશે?
શું ઢોળાશે?
આનંદ ? આભાર ? શાંતિ ? માનવતા ? વિનમ્રતા ? કે પછી ગુસ્સો ? કડવાશ ?
ખરાબ શબ્દો ? કે પછી ખરાબ વર્તન?
*આપણામાંથી કશુંક સારું જ છલકાય, ઢોળાય એ માટે જીવનને ક્ષમા, શાંતિ, આનંદ, દયા, પ્રેમ,લાગણી, સ્નેહભર્યા શબ્દો અને હકારાત્મકતાથી ભરી દો.*
પછી ભલે જીવનમાં ધક્કો વાગે
*"કશુંક સારું જ છલકાશે."?*