જનમ ધરી માનવનોને કૈંક કરવું ઘટે.
પાથેય પરભવ તણું પ્રત્યેકે ભરવું ઘટે.
આમ તો દોડધામ અહર્નિશ પૈસાની,
માનવ સર્જનાર હરિવરને સ્મરવું ઘટે.
મોજશોખને એશોઆરામ લલચાવે,
સમય ફાળવીને પરોપકારે વળવું ઘટે.
દાન પુણ્ય યથાશક્તિ કરવું છે જરુરી,
માનવતાના મંત્રને સૌએ અનુસરવું ઘટે.
જનેજનમાં જનાર્દન નીરખીએ વખતે,
યોગી નહિ ઉપયોગી બીજાને થવું ઘટે.
ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '