ઇશ્વરનો અણમોલ ઉપહાર છે ખોળિયું માનવનું.
ટાળવા લખચોરાશી ઉપચાર છે ખોળિયું માનવનું.
શ્રુતિ સદગ્રંથ માનસ જેની સાખ પૂરતાં હંમેશાંને,
સાધનધામને મોક્ષનું જે દ્વાર છે ખોળિયું માનવનું.
રંગરાગને વિષયભોગમા રહે ડૂબેલા અવિરત જે,
એનો એળે ગયેલો અવતાર છે ખોળિયું માનવનું.
સંતસમાગમને હરિભજને સાર્થક માનવદેહ છે,
પરોપકારે બસ જીવનસાર છે ખોળિયું માનવનું.
હરિશરણને દ્રઢ ભરોસો જેને ઇશ્વર તણો છે,
સદાચારે જિંદગી તહેવાર છે ખોળિયું માનવનું.
ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.