"ભરોસો ભોળાનાથનો" (અછાંદસ કાવ્ય)
એકલો ચાલી પડ્યો છું આ અજાણ્યા રસ્તા પર,
હાથમાં કોઈનો સાથ નથી, બસ એક તમારો વિશ્વાસ છે.
ચારેય તરફ નજર માંડીને બેઠા છે લોકો,
મારી એક હારની પ્રતીક્ષામાં,
પણ એમને ક્યાં ખબર છે કે મારો રક્ષક કોણ છે?
મને હારવા ન દેતા, હે મહાદેવ!
કારણ કે આ લડાઈ હવે માત્ર મારી નથી,
એ દરેક આંસુની છે જે મેં છાનામાના વહાવ્યા છે.
મારું જીતવું બહુ જરૂરી છે,
એ અહંકારી ચહેરાઓને જવાબ આપવા માટે,
જેઓ મારી ક્ષમતા પર સવાલ ઉઠાવે છે.
દુનિયા ભલે મારી એકલતા પર હસે,
પણ ભીતરમાં એક ગુંજન સંભળાય છે.
"તું એકલો ક્યાં છે? હું બેઠો છું ને!"
મને પાક્કી ખબર છે, શંભુ,
તમે મારો હાથ ક્યારેય છોડશો નહીં,
તમે મને ક્યારેય હારવા દેશો નહીં.
જ્યાં સુધી તમારૂ ત્રિશૂળ ઓથ બનીને ઊભૂ છે,
ત્યાં સુધી આ 'સ્વયમ્'ભૂ',' ક્યારેય અટકશે નહીં,
જીત મારી નિશ્ચિત છે, કારણ કે તમે મારી સાથે છો.
અશ્વિન રાઠોડ___"સ્વયમ્'ભૂ',"