માનસીક શાંતિ એટલે માત્ર શબ્દ પણ નથી, પણ આપણે ઘણીવાર આ માનસીક શાંતિ ને અવગણી નાખીએ છીએ. માનસીક શાંતિ ને અવગણી ને જ્યારે પણ આપણે દુ:ખ નો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે ઇચ્છીયે છે કે, મારા નસીબ ખરાબ છે. બીજાના લીધે હોય આપણે કોઈ વ્યક્તિ ઉપર અથવા તો પરિસ્થિતિ ઉપર નાખી ને આપણે આપણા હાથ ખંખેરી લઈએ છીએ.
માનસીક શાંતિ આપણને જીવન માં ક્યારે પણ મફતમાં નથી મળતી. એને માટે આપણે ઘણું બધું વસ્તુ નો ત્યાગ કરવો પડે છે. માનસીક શાંતિ માટે હર એક દુઃખી થવાના કારણો ને ધ્યાન રાખવા પડે છે, એ ઓછું પડે તો જે વ્યક્તિ વિષેશ ના વ્યવહાર થી દિલ દુભાય એના થી ડીટેચ થવું પડે છે એટલે આ માનસીક શાંતિ ત્યારે પણ મફત માં નથી મળતી.
આપણ હાથ માં છે કે આપણને કયા રસ્તે જવું છે, એક કાંટાળો રસ્તો છે તો બીજો સાધારણ પથ્થર વાળી રસ્તો છે, સીધા રસ્તા ઉપર ચાલતા માનસીક શાંતિ મળશે અને જીવન માં આગળ વધી શકાશે. પણ જ્યારે તમે કાંટાળી રસ્તો લો છો ત્યારે જીવન માં માત્ર ને માત્ર તકલીફો માં અટવાયા કરીશું અને આગળ વધવાનું ભૂલી જશો કારણ કે આ દુ:ખ આગળ વધવા નઈ દે તમારે, સત્ય ને આપણે સ્વીકારી જાણીએ છીએ, અને સમજીએ પણ છે, તેમ છતા જ્યારે આપણે સાચો રસ્તો પોતાના માટે ચોઈસ નથી કરી શકતા, ત્યારે આપણે માનસીક શાંતિ ની અવગણના કરી એમ કહેવાય.
સાવ સરળ છે જીવન માં કયો રસ્તો અપનાવો, કાંટાળો કે પછી સાધારણ આપણે આપણી ચોઈસ એટલી ખોટી કરી નાખીએ છીએ અને પછી નહિ જે ભાન સમજાય છે એટલે કે કાંટાળા રસ્તા ઉપર ચાલી ને પગ લોહી લુહાણ થઈ જાય છે. આગળ એક ડગલું ભરવાની ક્ષમતા રહેતી નથી ત્યારે સમજાય છે ખોટો આ રસ્તો લીધો, ક્યારે એટલું મોડું ના કરવું જોઈએ.
સાચો રસ્તો ચોઈસ કરવામાં, ભગવાન આપણને હંમેશા ચોઈસ આપે છે પણ આપણે માનસીક શાંતિ ને અવગણી ને દુઃખી થવાના રસ્તા ઉપર ચાલવા માંડીએ છીએ. અને વર્ષો ના વર્ષ અને ક્યારેક એક આખું આયુષ્ય વેર-વિખેર કરીને સમજાય છે જીવન તો કયાંક પાછળ રહી ગયું જીવવાનું હતું સાલું એવું ના જીવી શક્યા એટલે બધું આપણા હાથ માં છે શું ચોઈસ કરવું.