સફર : અંત અને અનંત (અછાંદસ કાવ્ય)
એક સફર પૂરી થઈ એમ લાગ્યું,
ને મેં પગથિયાં પર દીવો મૂક્યો,
પણ પવન કહે,
અજવાળું તો હજુ ચાલે છે.
અંત ક્યાં હોય છે સફરને?
અંત તો માત્ર વળાંકનું નામ છે,
જ્યાં રસ્તો પૂરો નથી થતો,
બસ નજર બદલાઈ જાય છે.
મેં જેને અંત માન્યો'તો,
એ તો એક પડાવ હતો,
જ્યાં મેં મારા જૂના ચહેરા ઉતારી,
નવા શ્વાસ પહેર્યા હતા.
અનંત શું છે?
અનંત કોઈ દૂરનું આકાશ નથી,
અનંત તો આ ક્ષણમાં છુપાયેલો
એક અધૂરો પ્રશ્ન છે,
જે દરેક જવાબ પછી ફરી જન્મે છે.
હું ચાલ્યો,
પગલાં ભૂંસાતા ગયા,
પણ ધૂળમાંથી ઉગી નીકળ્યા
બીજા પગલાંના બીજ.
તો સફર પૂરી ક્યાં થઈ?
એ તો હજુય ચાલે છે,
મારી અંદર,
મારી બહાર,
અંતથી અનંત સુધી...
અને અનંતથી ફરી "સ્વયમ્'ભૂ" અંત સુધી.
અશ્વિન રાઠોડ - "સ્વયમ્'ભૂ"