બાળક નાનું હોય તો એ અલગ વાત છે, પરંતુ.....
જ્યારે એ સમજણું થઈ જાય પછી પણ
એને કોઈ વાતની કમી ન રહે, એ જે માંગે એ એને મળી રહે,
એ પ્રમાણે એનો ઉછેર કરવો, એ વિચાર ખૂબજ સારો, અને હિંમતથી ભરેલો છે, પરંતુ....
આ વિચાર અધૂરો, અને ખામીયુક્ત છે, કારણ કે,
આ પ્રકારની કેળવણી આગળ જતાં આપણને, અને સંતાનને બંનેને ખૂબ તકલીફ આપી શકે છે, માટે
જ્યાં સુધી એ સંતાન પોતે મા-બાપની ઉંમરે પહોંચે, ત્યારે
ભલે એ એના સંતાનને એના માતા-પિતાએ જે આપ્યું, જેટલું આપ્યું,
એટલું ન આપી શકે, કેમકે
એતો સમય સમયની વાત છે, પરંતુ
એના વિચારો, અને વર્તન તો પોતાના મા-બાપે એના માટે જેટલું કર્યું,
એટલું એ પણ પોતાના સંતાનો માટે કરશે,
એ પ્રકારના હોવા જોઈએ.
- Shailesh Joshi