જ્યારે તમારું બાળક આવવાનું હોય છે ત્યારે સમાજને એ વાત થી કોઈ મતલબ નથી કે તમારું બાળક આવવાનું છે
એને બસ એકજ વાતમાં રસ હોય છે દીકરો આવશે કે દિકરી..અને દીકરો આવે તો વાંધો નથી પણ જો દિકરી આવી તો એ લોકો ચાલું કરશે કંઈ વાંધો નહીં ભગવાન બીજી વખત દીકરો આપશે અહીં એ લોકો માત્ર તમારો આત્મવિશ્વાસ તોડે છે આવું બોલીને અને જો દિકરો પણ આવ્યો હોત તો સમાજ બોલત કાળો છે વાળ એના મમ્મી જેવા નથી એનો છોકરો હજુ આંખ કેમ નહીં ખોલતો હોય...તમારું બાળક હજુ જન્મ્યું ન હતું ત્યાર થી જ સમાજ એ બાળક શું હશે શું નહીં હોય એ વાતથી તમારા બાળકની પંચાત કરવાનું ચાલુ કરી દેશે અને સમાજ આ પંચાત તમારું બાળક જીવે છે ત્યાં સુધી ચાલુ રાખશે.. તમારું બાળક માત્ર તમને વહાલું છે સમાજને નહીં
સમાજના લોકો તમારી અને તમારા બાળકની ખુશીમાં કોઈ દિવસ ખુશ નહીં થાય અને તમે તમારા બાળકને સમાજના લોકોએ બનાવેલ બકવાસ નિયમોનું પાલન કરવા માટે પેદા નથી કર્યું તો સમાજ શું કહેશે શું વિચારે છે એ વિચારીને ના ચાલતા..તમારા બાળકોનો હાથ પકડીને ચાલજો