જીવનમાં એવા પ્રસંગો આવશે કે જ્યારે તમને એવું થશે કે ભગવાન છે કે નહીં?
ક્યારેક કોઈ એવો દગો કરશે અને એ ખુશ હશે છતાં એમની સાથે કંઈ જ ગલત નહીં થાય ત્યારે તમને પ્રશ્ન થાય કે આ બધાને કોઈ જવાબ આપવા વાળું નહીં હોય?
કોઈ તમારી સાથે છેતરપિંડી કરશે અને કોઈ તમારું ખોટું નામ વગોવશે ત્યારે મન નિરાશાઓથી ઘેરાઈ જાય છે અને એવું થાય છે કે લુચ્ચા માણસો નો જમાનો છે.ભગવાનનો કે અસ્તિત્વ છે કે નહીં એના પર પણ આપણને પ્રશ્નાર્થ ચિન્હ થઈ જાય છે.
ધીરજ રાખજો,
તમારા સમયની રાહ જોજો,
દિવસ તમારો પણ આવશે,
ઉપરવાળો મોડેથી આપશે પરંતુ મજાનું આપશે..
બધા હિસાબ કિતાબ પણ થશે અને જબરદસ્ત થશે....
ખાલી ઈશ્વર તમારી ધીરજ ની પરીક્ષા કરે છે અને તમારા એના પરના વિશ્વાસની પણ પરીક્ષા કરે છે....
આ પરીક્ષા ધીરજ થી પાસ કરજો અને અવલ નંબરથી પાસ થજો, તમારો સમય જરૂરથી આવશે....