જ્ઞાન ઉપાસકો ની અવગણના
Regulatory frameworksની તમામ મર્યાદાઓને કારણે સરકારે મંજૂરી આપી હોય તેનાથી વિશેષ પ્રમાણમાં કુદરતી સંસાધનો નું દોહન કરી તથા પ્રદૂષણ અને મજૂર કાયદાઓનું ઉલ્લંઘન કરી નફો કરતા ઉધોગ ગૃહો ઘણા હશે.
આ જૂથમાં તો એવો પ્રશ્ન ઉપસ્થિત કરવો જોઈએ કે ભારતીય સમાજ પોતાના શોધકો ,સંશોધકો, વૈજ્ઞાનિકો, શિક્ષકો, અધ્યાપકો વગેરેનું સન્માન કેમ કરતો નથી? શું જ્ઞાન-વિજ્ઞાન ની ઉપાસના કરવી તે ગુનો છે? પર-લોકનાં લોભ-લાલચમાં (મોટાભાગના પાખંડી)સાધુ , બાવા ,ફકીર ,મુલ્લા અને પાદરીઓની શોભાયાત્રાઓ કાઢી /અંબાડીએ બેસાડી પૂજીએ છીએ/તેમની કથાઓમાં હાજરી આપવામાં ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ આ-લોકને વધારે સારૂં જીવવાલાયક બનાવનારાઓને કેમ કોઇ જાણવા પણ માગતું નથી. આપણે ક્યારેય આપણા શિક્ષણવિદ, સંશોધક, ને ગણત્રી માં લીધા નથી.
દિપક જોષી IAS
🙏🏻🙏🏻🙏