“સત્યને ભાખતા દુહા”
1) ધીર ધરો મનમાં સદા,સહન કરો દુ:ખ પાત
સુખ દુ:ખ આવે ને જાય છે,જ્યમ આવે દિન રાત.
2) ધન જોબ અરુ ઠાકરી,એની ઉપર અવિવેક,
એ ચાર ભેળા હુવે,અનરથ કરે અનેક.
3) પસ્તાવો નર નીમર્ળું, કરે હૃદયપટ સાફ,
ક્ષમા યાચના વહી જતો,દિલનો ગંદો બાફ.
4) પુરાણ વૈભવ પામતાં, નર હોય નાદાન,
એને પૈસો આપતાં,ભૂલ કરી ભગવાન.
(ગુજરાત ટાઇમ્સ સાપ્તાહિક
13 જાન્યુઆરી 2023
“ભજનાનંદ” બળવંત જાની)