🗡 બાબર અને રાણા સાંગા 🗡
👉 બાબર અને રાણા સાંગા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું.
બાબરે યુદ્ધમાં પ્રથમ વખત તોપોનો ઉપયોગ કર્યો હતો.
તે દિવસોમાં યુદ્ધ માત્ર દિવસમાં જ લડાતું.
સાંજના સમયે બંને દળોના સૈનિકો પોતાની શિબિરમાં આરામ કરતાં હતાં.
ફરી પાછું સવારે યુદ્ધ થતું !!!
લડતાં લડતાં સાંજ પડી ગઈ હતી.
બંને પક્ષો તેમના શિબિરોમાં ખોરાક તૈયાર કરી રહ્યા હતા.
બાબર પોતાના શિબિરની બહાર ઊભા રહી દુશ્મનની લશ્કરની છાવણીને જોઈ રહ્યા હતા.
ટહેલતાં ટહેલતાં બાબરે જોયું તો
રાણા સાંગાની સેનાની શિબિરોમાંથી કંઈ કેટલીક જગ્યાએથી ધુમાડા નીકળતા હતા.
બાબરને લાગ્યું કે દુશ્મનની શિબિરોમાં આગ લાગી ગઈ છે.
તેમણે તરત જ તેના સેનાપતિ મીર બાંકીને બોલાવ્યા અને તેમને કહ્યું કે
જુઓ દુશ્મનની છાવણીમાં આગ છે.
છાવણીમાં પચાસ સ્થાનોમાંથી ધુમાડો બહાર આવે છે.
👉 સેનાપતિએ પોતાનાં ગુપ્તચરોને તપાસનો આદેશ આપ્યો -
જાઓ અને તપાસ કરો કે ----
દુશ્મનના સૈન્ય શિબિરમાં આટલી મોટી સંખ્યામાં આટલી બધી જગ્યાએ આગ કેમ લાગી છે
અને ધુમાડો કેમ નીકળે છે ?
થોડાં સમય પછી ગુપ્તચરો પાછા ફર્યા .
તેમણે કહ્યું
" હુજૂર દુશ્મન સૈનિકો અલગ અલગ જાતીનાં છે, તેઓ એક જ જગ્યાએ સાથે બેસીને જમતાં નથી .
સૈન્યમાં અનેક જાતિઓના સૈનિક છે
જેઓ એક બીજાનું બનાવેલું અને અડેલું ખાવાનું ખાતાં નથી
એટલાં માટે તેઓપોતાનું ભોજન પણ અલગ -અલગ બનાવે છે !!!
અને અલગ - અલગ ખાય છે !!!
એકબીજાના પ્યાલામાંથી પાણી પણ નથી પીતાં
આ સાંભળીને બાબર જોરથી હસ્યો
પછી તેણે પોતાનાં સેનાપતિને કહ્યું
" મીર બાંકો ફતેહ આપણી જ થશે !!!"
આ લોકો આપણી સાથે શું લડવાના !!!!
જે સેના એક સાથે મળીને સાથે બેસીને ખાવાનું પણ નથી ખાઈ શકતી
એ લોકો એક સાથે મળીને દુશ્મનો સામે કેવી રીતે લડી શકશે ?"
બાબર કેટલો સાચો હતો !!!!!!!
👉 ત્યાર બાદ ત્રણ જ દિવસમાં રાણા સાંગાની સેનાને હાર મળી.
અને બાબરે મુગલ શાસનનો પાયો નાંખ્યો !!!!
👉 ભારતની ગુલામીનું કારણ
જાતિવાદ
છૂત અછૂતનો ભેદભાવ હતો
અને એ આજે પણ એમ જ ચાલ્યો આવે છે.