ઘણા કેટલાય સમય થી લેખન થી ઘણે અંશે દૂર થઈ જવાયું છે એનું કારણ હતું કે મારે બે વસ્તુઓ કરવાની હતી એક કે લેખન દ્વારા લોકો ને મનોરંજન અને મોટીવેશન પૂરું પાડવું અને બીજું કે લોકો ના આરોગ્ય માટે થઈ ને લેખન ઓછું કરવું. મે આરોગ્ય તરફ વધુ નમતું મૂક્યું અને છેલ્લા ઘણા સમય થી તન, મન , ધન થી માત્ર આયુર્વેદ થી લોકો કઈ રીતે સાજા થાય અને સાજા રહી શકે એ માટે ના કર્યો વધુ કર્યા. પ્રેક્ટિસ અને કોરોના બન્ને તરફ થી ભીંસ હતી . પણ એક વાત નો આનંદ છે અને આપને જણાવતા હર્ષ થાય કે આ કાર્ય ને આગળ વધારતા યું ટ્યુબ ના માધ્યમ થી લોકો ને આયુર્વેદ ની મિથ્યા જ્ઞાન થી બચાવી અને સાચું શાસ્ત્રોક્ત જ્ઞાન મળે એ હેતુ થી સ્વાસ્થ્ય અમૃતા નામે ચેનલ શરૂ કરી . ખુબ સારો પ્રતિસાદ હતો પણ આજે અચાનક યાદ આવ્યું કે આ ખબર ને મારા વાચકો સુધી પહોંચાડવી જોઈએ જેથી એ લોકો પણ સ્વાસ્થ્ય સંબધી માહિતી નો લાભ લઇ શકે
ચેનલ ની લીંક દ્વારા જોઈ શકાશે
https://youtube.com/channel/UCBi4CugjmXm4947Lg7NWfqw