જીવન એક ચકડોળ છે,
જીવતા શીખવાડે, ને ચકરે ચડાવે..!
બહુમૂલ્ય પ્રતિભાઓ પણ ચકરે ચડી જાય, એવી પ્રતિભાશાળી છે, જીવનરૂપી ચકડોળ...!
ઊંચે ગગન ચુમતી, ગોળ ગોળ ઘૂમતી ચકડોળ, ભલ ભલા માણસો ને પણ તેના ચકરે ચડાવી નાખે, એ મેળાની ચકડોળ..!
જીવન ના ચકડોળ માં નારાયણ ઉધારી ચલાવી લે, પણ મેળા ની ચકડોળ માં નારાયણ નકદ થી ચાલે..!
બહુમૂલ્ય જીવનને ચકડોળ ના ચકરે ચડાવવા કરતા, "સ્વયમભુ" ભક્તિ રૂપી ચકડોળ ના "ચાકરે" ચડાવો, એ પણ રોકડેથી, એટલે નારાયણ પણ ખુશ અને તમે પણ..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"