જેને રામ ન ભાવે એને પણ રામ નિભાવે કરુણા કેટલી!
લાગે કદી એ અકર્તા તોય પ્રેમ છલકાવે કરુણા કેટલી!
હૈયે એને હિત વસેલું છે જીવમાત્રનું કલ્યાણ કરવાનુંને,
સજા કરતાં જે સ્વયં ઉરને પણ ફફડાવે કરુણા કેટલી!
છે સાગર દયાનો એને અનરાધાર વરસવાનું જ બસ ફાવે,
માત્ર રીમઝીમ વરસીને જે સંતોષ ના લાવે કરુણા કેટલી!
દીનબંધુ, દયાનિધિ, દેવ દાતાર, દુઃખહારી દ્વારિકાધીશજી,
જે અગણિત દોષ જીવમાત્રના વિસરાવે કરુણા કેટલી!
નેહ નયનથી હોય નીતરતો હશે એ પણ ભક્તને ભજતો,
કહી શકાય ભક્ત ભગવંત સંબંધના દાવે કરુણા કેટલી!
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#કરુણા